Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > BJP સત્તામાં રહેવા પ્લેન ક્રૅશ કરાવી શકે

BJP સત્તામાં રહેવા પ્લેન ક્રૅશ કરાવી શકે

Published : 31 January, 2026 12:24 PM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજિત પવારના નિધન વિશે પશ્ચિમ બંગાળના પ્રધાનનો વિવાદાસ્પદ આરોપ

પશ્ચિમ બંગાળના પ્રધાન  સોવનદેવ ચટ્ટોપાધ્યાય

પશ્ચિમ બંગાળના પ્રધાન સોવનદેવ ચટ્ટોપાધ્યાય


નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવારનું વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ થયા પછી પશ્ચિમ બંગાળના પ્રધાન સોવનદેવ ચટ્ટોપાધ્યાયે આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)નો પવાર સાથે ઝઘડો છે, BJP સત્તામાં રહેવા માટે પ્લેન પણ ક્રૅશ કરાવી શકે છે.

સોવનદેવ ચટ્ટોપાધ્યાયે આ વિમાન-દુર્ઘટનાની તપાસની માગણી પણ કરી છે. આ પહેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે અને આમ આદમી પાર્ટી (AAP)એ પણ વિમાન-દુર્ઘટના વિશે સવાલ ઉઠાવ્યા હતા. મમતા બૅનરજીએ અજિત પવારના મૃત્યુની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માગણી કરી હતી. 
જોકે શરદ પવારે એને સંપૂર્ણપણે અકસ્માત ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે એમાં કોઈ રાજકારણ નથી.


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2026 12:24 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK