મેયર વિનોદ અગ્રવાલે રક્તદાન કરવાનું નાટક કર્યું હોવાની વાતે રમૂજી વિવાદ શરૂ થયો છે
લાઇફ મસાલા
મેયર વિનોદ અગ્રવાલે રક્તદાન કરવાનું નાટક કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ૧૭ સપ્ટેમ્બરે મુરાદાબાદમાં રક્તદાન કૅમ્પ યોજાયો હતો. એના મેયર વિનોદ અગ્રવાલે રક્તદાન કરવાનું નાટક કર્યું હોવાની વાતે રમૂજી વિવાદ શરૂ થયો છે. કૅમ્પમાં તેમણે પણ ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો. વિનોદ અગ્રવાલ હૉસ્પિટલમાં પહોંચ્યા અને બેડ પર સૂઈ ગયા. ડૉક્ટરોને લાગ્યું કે મેયરસાહેબ પણ રક્તદાન કરવાના હશે એટલે તેમણે બ્લડ-પ્રેશર તપાસ્યું અને હાથમાં પીળો બૉલ પકડાવ્યો. આ બધું ચાલતું હતું ત્યાં જ મેયર અગ્રવાલે હસતા-હસતા ઊભા થઈને ચાલતી પકડી. આ આખી ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ. સોશ્યલ મીડિયામાં વિડિયો વાઇરલ થતાં જ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.