મધ્ય પ્રદેશના મહૂમાં ભારતની જીતનો જશન મનાવતા હિન્દુઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો, આ ઘટના વિશે ખોટા ન્યુઝ ફેલાતાં જામા મસ્જિદના ઇમામે જણાવ્યું હતું કે મુસ્લિમોએ હિંસા શરૂ કરી હતી, તેમણે જય શ્રીરામ બોલતા યુવાનોના લિન્ચિંગનો પ્રયાસ કર્યો હતો.
મધ્ય પ્રદેશના મહૂમાં ભારતની જીતનો જશન મનાવતા હિન્દુઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો તોફાન ફાટી નીકળ્યાં એમાં વાહનો અને દુકાનોને આગ ચાંપી દેવાઈ
મધ્ય પ્રદેશમાં ઇન્દોર જિલ્લાના મહૂમાં ન્યુ ઝીલૅન્ડ સામે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રવિવારે રાતે ભારતના વિજય બાદ ઉજવણી ચાલી રહી હતી ત્યારે જામા મસ્જિદ પાસેથી સરઘસ નીકળ્યું ત્યારે હિંસા ફાટી નીકળી હતી. અહેવાલો મુજબ જ્યારે જીતની ઉજવણી કરતા લોકો મસ્જિદ પાસેથી નીકળ્યા ત્યારે મસ્જિદમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઉજવણી કરી રહેલા લોકો જય શ્રીરામના નારા લગાવી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. આ ઘટનાના વિડિયો બહાર આવ્યા છે જેમાં મુસ્લિમોએ પથ્થરમારો શરૂ કરતાં પહેલાં અલ્લાહ-હુ-અકબર અને નારા-એ-તકબીરના નારા ઉચ્ચાર્યા હતા. તોફાનોમાં ઘણાં વાહનો અને દુકાનોને આગ ચાંપવામાં આવી હતી.
જોકે આ ઘટના વિશે ખોટા ન્યુઝ ફેલાતાં જામા મસ્જિદના ઇમામે જણાવ્યું હતું કે મુસ્લિમોએ હિંસા શરૂ કરી હતી, તેમણે જય શ્રીરામ બોલતા યુવાનોના લિન્ચિંગનો પ્રયાસ કર્યો હતો.

