Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જૈનોનાં ૮ તીર્થસ્થળોને આવરી લેતી IRCTCની જૈન યાત્રાનો ૩૧ માર્ચથી આરંભ થશે

જૈનોનાં ૮ તીર્થસ્થળોને આવરી લેતી IRCTCની જૈન યાત્રાનો ૩૧ માર્ચથી આરંભ થશે

Published : 12 March, 2025 08:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાંદરા ટર્મિનસથી ઊપડશે સ્પેશ્યલ AC ટ્રેન, પ્રવાસીદીઠ ચાર્જ ૨૪,૯૩૦ રૂપિયા: ભારતીય રેલવેએ ભારત સરકારના દેખો અપના દેશ અને એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝનને સફળ બનાવવા હવે જૈનોનાં ૮ તીર્થસ્થળોને આવરી લેતી જૈન યાત્રાનું આયોજન કર્યું છે.

ભારતીય રેલવે (ફાઈલ તસવીર)

ભારતીય રેલવે (ફાઈલ તસવીર)


ભારતીય રેલવેએ ભારત સરકારના દેખો અપના દેશ અને એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝનને સફળ બનાવવા હવે જૈનોનાં ૮ તીર્થસ્થળોને આવરી લેતી જૈન યાત્રાનું આયોજન કર્યું છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) દ્વારા ૮ રાત ૯ દિવસની આ જૈન યાત્રાની સ્પેશ્યલ AC ટ્રેન ૩૧ માર્ચે બાંદરા ટર્મિનસથી ઊપડશે. આ ટ્રેનમાં ૭૫૦ પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. ૪૫૦૦ કિલોમીટરના આ પ્રવાસમાં સમગ્ર યાત્રા દરમ્યાન ભોજન અને અન્ય સુવિધાઓ જૈન પ્રણાલી મુજબ જ રાખવામાં આવી છે.  


આ જૈન યાત્રા દરમ્યાન પાવાપુરી, કુંડલપુર, ગુનિયાજી, લછુઆર, રાજગીર, પારસનાથ, રુજુવાલિકા અને સમેતશિખરને આવરી લેવામાં આવશે. આ ટ્રેન બાંદરા, બોરીવલી, વાપી, વલસાડ, સુરત અને ભેસ્તાન (સુરત)થી પણ પકડી શકાશે. આ જૈન યાત્રા માટે એક પ્રવાસી પાસેથી ૨૪,૯૩૦ રૂપિયા ચાર્જ કરવામાં આવશે. યાત્રામાં જવા માગતા જૈનો વધુ જાણકારી માટે IRCTCની વેબસાઇટ http://www.irctctourism.comની મુલાકાત લઈ શકે છે અથવા ૮૨૮૭૯ ૩૧૮૮૬ નંબર પર ફોન કરીને એ વિશે જાણકારી મેળવી શકે છે.   


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2025 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK