Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છૂટાછેડા પહેલાં એક વર્ષ અલગ રહેવું કાનૂની સૂચન છે, અનિવાર્ય નથી

છૂટાછેડા પહેલાં એક વર્ષ અલગ રહેવું કાનૂની સૂચન છે, અનિવાર્ય નથી

Published : 19 December, 2025 10:11 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હિન્દુ મૅરેજ ઍક્ટ (HMA), ૧૯૫૫ અંતર્ગત બનાવેલી આ શરતને યોગ્ય કેસોમાં માફ કરી શકાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિલ્હી હાઈ કોર્ટે બુધવારે કહ્યું હતું કે જ્યારે પરસ્પરની સહમતીથી છૂટાછેડા લેવામાં આવી રહ્યા હોય ત્યારે પતિ-પત્નીએ એક વર્ષ સુધી અલગ રહેવાની શરતનું પાલન કરવું અનિવાર્ય નથી. કોર્ટે કહ્યું હતું કે ‘હિન્દુ મૅરેજ ઍક્ટ (HMA), ૧૯૫૫ અંતર્ગત બનાવેલી આ શરતને યોગ્ય કેસોમાં માફ કરી શકાય છે. પતિ-પત્નીને લગ્નના બંધનમાંથી મુક્ત કરવાને બદલે તેમને એક ખોટા સંબંધમાં જકડી રાખવાનું ખોટું કહેવાશે. આમ કરવાથી બન્ને પર બિનજરૂરી મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક તનાવ પેદા થશે.’

આ સ્પષ્ટીકરણ એક ડિવિઝન બેન્ચ દ્વારા અપાયેલા એક નિર્ણયના સંદર્ભમાં આપવામાં આવ્યું હતું. આ અધિનિયમ અંતર્ગત પરસ્પર સહમતીથી છૂટાછેડા લઈ રહેલા લોકોની અરજીની સમયસીમા પર માર્ગદર્શન માગ્યું હતું. જસ્ટિસ નવીન ચાવલા, અનુપ જયરામ ભંભાણી અને રેણુ ભટનાગર એમ ત્રણ જજોની બેન્ચે કહ્યું હતું કે છૂટાછેડા પહેલાં એક વર્ષ અલગ રહેવાની કાનૂની શરત એ સૂચન છે, અનિવાર્યતા નહીં.



કોર્ટે કહ્યું હતું કે ‘કેટલાક કિસ્સાઓમાં જો લગ્નસંબંધ પૂરો થવામાં વધુ વાર લાગે તો પતિ કે પત્નીમાંથી એક કે બન્નેને આગળ જઈને નવા અને સ્થિર સંબંધો બનાવવાનો અવસર નથી મળી શકતો. તેમનાં ફરીથી લગ્ન કરવાની અને સમાજમાં સામાન્ય જીવન જીવવાની સંભાવના પર સ્થાયી અસર પડી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2025 10:11 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK