Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જમ્મુ કાશ્મીર: સોપોરમાં આંતકી હુમલામાં 2 પોલીસકર્મી સહિત 4 લોકોના મોત

જમ્મુ કાશ્મીર: સોપોરમાં આંતકી હુમલામાં 2 પોલીસકર્મી સહિત 4 લોકોના મોત

Published : 12 June, 2021 02:37 PM | IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જમ્મુ કાશ્મીરના સોપોરમાં અરમાપોરામાં નાકા પાસે આંતકીઓએ આજે પોલીસ અને CRPF ની ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં પોલીસ સહિત ચાર લોકોના મોત થયા છે.

પ્રતિકાત્મક ફોટો ( સૌજન્ય: AFP)

પ્રતિકાત્મક ફોટો ( સૌજન્ય: AFP)


જમ્મુ કાશ્મીરના સોપોરમાં આંતકી હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા છે, જયારે બે નાગરિકોના મોત થયા છે. સોપોરમાં અરમાપોરામાં નાકા પાસે આંતકીઓએ આજે પોલીસ અને CRPF ની ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં પોલીસ સહિત ચાર લોકોના મોત થયા છે. 


ઉત્તરી કાશ્મીરના સોપોરમાં આજે શનિવારે આંતકવાદીઓએ પોલીસ જવાનો અને સુરક્ષા જવાનોની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો. આતંકીવાદીના આ હુમલામાં કુલ 4 લોકોના મોત થયા છે. આ હુમલામાં 2 પોલીસ કર્મચારીઓ શહીદ થયા છે. આ ઉપરાંત બે નાગરિકોના મોત પણ થયા છે. 



DGP દિલબગ સિંહે સોપોર હુમલા અંગે જણાવ્યું કે બે પોલીસ કર્મચારી સહિત 4 લોકોના મોત થયા છે. તેમજ 3 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. તેમણે વધુમાં કહ્યું કે આ હુમલા પાછળ લશ્કરનો હાથ હોય શકે છે.


સુત્રો અનુસાર આંતકવાદીઓએ સુરક્ષાબળોની ટીમ પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જોકે હુમલા બાદ જવાનોએ આ વિસ્તારને ચારે તરફ ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2021 02:37 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK