Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છ વર્ષમાં પહેલીવાર થશે આવું! પીએમ મોદી G7 Summitમાં હાજરી નહીં આપે? કેનેડા છે કારણ!

છ વર્ષમાં પહેલીવાર થશે આવું! પીએમ મોદી G7 Summitમાં હાજરી નહીં આપે? કેનેડા છે કારણ!

Published : 02 June, 2025 03:18 PM | Modified : 03 June, 2025 06:52 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

G7 Summit: છ વર્ષમાં પહેલી વાર પીએમ નરેન્દ્ર મોદી G7 સમિટમાં હાજરી નહીં આપે; ખાલિસ્તાની અલગતાવાદીઓના મુદ્દા પર ઓટાવાના વલણ અંગે ભારત ચિંતિત છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. દક્ષિણ આફ્રિકા, યુક્રેન અને ઓસ્ટ્રેલિયાએ G7 Summitના કેનેડાના આમંત્રણોનો સ્વીકાર કર્યો છે
  2. ભારતને હજુ સુધી સત્તાવાર આમંત્રણ મળ્યું નથી અને હાલમાં હાજરી આપવા માટે ઉત્સુક નથી
  3. સિક્યૉરિટીને કારણે પીએમ મોદી કેનેડા જવાનું ટાળી શકે છે

છ વર્ષમાં આ પહેલી વાર બનશે જ્યારે ભારત (India)ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) જી૭ સમિટ (G7 Summit)માં હાજરી આપશે નહીં. G7 દેશો ૧૫ જૂનથી ૧૭ જૂન દરમિયાન કેનેડા (Canada)ના આલ્બર્ટા (Alberta)માં મળશે, પરંતુ ભારતને હજુ સુધી સત્તાવાર આમંત્રણ મળ્યું નથી. જોકે, એવી પણ શક્યતા છે કે વડા પ્રધાન મોદી કેનેડા નહીં જાય. કેનેડાની નવી સરકાર ખાલિસ્તાની અલગતાવાદીઓ વિશેની તેમની ચિંતાઓ સાંભળશે કે નહીં તેની ભારતને ખાતરી નથી એટલે પીએમ મોદી જશે કે નહીં તે મોટો પ્રશ્ન છે.


અહેવાલો મુજબ, ભારતને સમિટમાં આમંત્રણ આપવામાં આવશે કે નહીં તે બાબતે G7 Summitના કેનેડાના પ્રવક્તાએ પુષ્ટિ આપી ન હતી. લોજિસ્ટિક અવરોધો, અલગતાવાદીઓ દ્વારા મુલાકાતને વિક્ષેપિત કરવાના સંભવિત પ્રયાસો અને તણાવપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોને ધ્યાનમાં લેતા, ભારત દ્વારા છેલ્લી ઘડીના કોઈપણ આમંત્રણ પર વિચાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે. વર્ષ ૨૦૧૯માં ફ્રાન્સે તેમને સમિટ માટે આમંત્રણ આપ્યું ત્યારથી પીએમ નરેન્દ્ર મોદી પહેલી વાર આ બેઠકમાં હાજરી આપશે નહીં. સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશોના અનૌપચારિક જૂથના સમિટમાં તેમની હાજરીને વૈશ્વિક કાર્યસૂચિને આકાર આપવામાં અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને સંબોધવામાં ભારતની વધતી ભૂમિકાના સંકેત તરીકે જોવામાં આવે છે.



વર્ષ ૨૦૨૨થી ભારત અને કેનેડા વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે વધ્યો છે, જેના કારણે કેનેડાના ભૂતપૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડો (Justin Trudeau)એ પણ ભારત પ્રત્યે ખૂબ જ કઠોર વલણ અપનાવ્યું હતું. આ વર્ષે કેનેડા કનાનાસ્કિસ (Kananaskis), આલ્બર્ટામાં G7 સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. કેનેડાએ કોને આમંત્રણ આપ્યું છે તેની મહેમાનોની યાદી જાહેર કરી નથી, પરંતુ કેનેડિયન મીડિયામાં ઘણા અહેવાલો છે કે દક્ષિણ આફ્રિકા (South Africa), યુક્રેન (Ukraine), ઓસ્ટ્રેલિયા (Australia) અને બ્રાઝિલ (Brazil)ને સત્તાવાર આમંત્રણ મોકલવામાં આવ્યા છે.


G7 સમિટમાં કેનેડા, ફ્રાન્સ (France), જર્મની (Germany), ઇટાલી (Italy), જાપાન (Japan), યુનાઇટેડ કિંગડમ (United Kingdom) અને યુનાઇટેડ સ્ટેટ્સ (United States) સભ્ય દેશો છે. આ વર્ષે યુરોપિયન યુનિયન અને ઘણા વધુ દેશો સમિટમાં જોડાય તેવી અપેક્ષા છે. ભારત અને કેનેડા વચ્ચેના તણાવ વચ્ચે વડા પ્રધાન મોદીની સમિટ મુલાકાત વિશે (PM Narendra Modi likely to skip G7 Summit in Canada) કોઈ માહિતી નથી.

વર્ષ ૨૦૨૩થી ભારત અને કેનેડા બંને દેશો વચ્ચે ઘણું અંતર આવી ગયું છે. તત્કાલીન ટ્રુડો સરકારે ખાલિસ્તાની આતંકવાદી (Khalistani terrorist) હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેના માટે આજ સુધી કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. ભારત સરકાર (Indian government)એ પણ આ આરોપોને ફગાવી દીધા હતા. હવે જોવાનું એ રહે છે કે કેનેડાના નવા વડા પ્રધાન માર્ક કાર્ને (Mark Carney)ની સરકાર ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરશે અને ખાલિસ્તાની અલગતાવાદીઓ વિશેની તેની ચિંતાઓ પર ધ્યાન આપશે કે નહીં.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2025 06:52 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK