Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વહાં સે ગોલી ચલેગી, યહાં સે ગોલા ચલેગા

વહાં સે ગોલી ચલેગી, યહાં સે ગોલા ચલેગા

Published : 12 May, 2025 07:44 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુદ્ધવિરામની જાહેરાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સશસ્ત્ર દળોને સૂચના

ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના નિવાસસ્થાને રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય સેના દળના વડાઓ સાથે લાંબી મીટિંગ કરી હતી.

ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના નિવાસસ્થાને રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય સેના દળના વડાઓ સાથે લાંબી મીટિંગ કરી હતી.


ભારત અને પાકિસ્તાન વચ્ચે ૪ દિવસના સંઘર્ષ બાદ શનિવારે યુદ્ધવિરામની જાહેરાત થઈ હતી, પણ આ જાહેરાત પછીયે પાકિસ્તાને એનું ઉલ્લંઘન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર દળોને સૂચના આપી હતી કે ‘વહાં સે ગોલી ચલેગી, યહાં સે ગોલા ચલેગા’. વડા પ્રધાને કોઈ પણ ઉશ્કેરણી સામે મજબૂત જવાબ આપવા પર ભાર મૂક્યો હતો.


સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં આતંકવાદી માળખાને લક્ષ્ય બનાવતું ભારતનું ‘ઑપરેશન સિંદૂર’ હજી પણ ચાલુ છે.



ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરની સુરક્ષા-બેઠક બોલાવી હતી. એમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ; નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ; સેના, નૌકાદળ અને વાયુસેનાના વડાઓ અને ચીફ ઑફ આર્મી સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સશસ્ત્ર દળોને આ સૂચના આપવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2025 07:44 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK