Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ISRO Satellite : ઇસરોએ લોન્ચ કર્યું હતું 101મું મિશન, પણ ત્રીજા સ્ટેજમાં જ...

ISRO Satellite : ઇસરોએ લોન્ચ કર્યું હતું 101મું મિશન, પણ ત્રીજા સ્ટેજમાં જ...

Published : 18 May, 2025 08:52 AM | Modified : 18 May, 2025 08:54 AM | IST | Sriharikota
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ISRO Satellite: EOS-09 એક અદ્યતન સેટેલાઈટ છે. જે પૃથ્વીનું નિરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં સી-બેન્ડ સિન્થેટિક એપરચર રડાર (SAR) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇસરો દ્વારા ૧૦૧મું મિશન ઇઓએસ-૦૯ લોન્ચ (ISRO Satellite) કરવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે આ મિશન લોન્ચ થયા બાદ થોડા જ સમયમાં નિષ્ફળ બની ગયું હતું. ઇસરોના અધ્યક્ષ વી નારાયણે જ આ માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે ઉડાન ભર્યા બાદ ત્રીજા સ્ટેજમાં ટેકનિકલ ક્ષતિને કારણે આ મિશન પૂર્ણ થઈ શક્યું નથી.


તમને જણાવી દઈએ કે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ રવિવારે ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (PSLV-C61) દ્વારા 101મા મિશનના ભાગ રૂપે EOS-09 સેટેલાઈટ લોન્ચ કરી હતી. લોન્ચ કર્યા બાદ આ મિશન નિષ્ફળ રહ્યું છે. જેવુ મિશન લોન્ચ થયું કે થોડીવારમાં ટેકનિકલ ક્ષતિને કારણે તે નિષ્ફળ ગયું. 



ઇસરો (ISRO Satellite) દ્વારા આજે વહેલી સવારે 5:59 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી EOS-09 લોન્ચ કરવામાં આવ્યું હતું. EOS-09 ને સૂર્ય-સમન્વય ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકવાનું નક્કી હતું, પરંતુ લોન્ચ કર્યા બાદ આવેલી ટેકનિકલ ક્ષતિને લીધે તેને પોતાની નિર્ધારિત ભ્રમણકક્ષામાં મૂકી શકવામાં સફળતા નથી મળી.



ઇસરોના વડાનું નિવેદન આવ્યું સામે 

PSLV-C61 લોન્ચિંગ બાદ ટેકનિકલ ક્ષતિ સર્જાયા બાદ આ સમગ્ર મામલે ઇસરોના વડા વી નારાયણને માહિતી આપતા જણાવ્યું હતું કે- ત્રીજા સ્ટેજના સંચાલન દરમિયાન સમસ્યા સર્જાઇ હતી. હાલમાં વૈજ્ઞાનિકો અવલોકનો કરી રહ્યા છે. જો કે મિશન (ISRO Satellite) પૂર્ણ થઈ શક્યું નથી. ડેટાનું વિશ્લેષણ કર્યા બાદ ઇસરો આ મિશન અંગે વિગતવાર માહિતી રજૂ કરશે. 

વાત કરીએ આ ખાસ સેટેલાઈટ વિષે. EOS-09 એક અદ્યતન સેટેલાઈટ છે. જે પૃથ્વીનું નિરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં સી-બેન્ડ સિન્થેટિક એપરચર રડાર (SAR) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સેટેલાઈટના કાર્યની વાત કરીએ તો તે કોઈપણ હવામાનની સ્થિતિમાં તેમ જ  દિવસ હોય કે રાત, તે પૃથ્વીની સપાટીની ઉચ્ચ-રિઝોલ્યુશન છબીઓ લેવામાં નિપુણ છે. ખાસ કરીને કૃષિ, વન વિસ્તાર વ્યવસ્થાપન, આપત્તિ વ્યવસ્થાપન અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેવી આ સેટેલાઈટ છે.

ISRO (ISRO Satellite) અનુસાર આ PSLV રોકેટની એકંદરે 63મી ઉડાન હતી અને PSLV-XL સંસ્કરણની 27મી ઉડાન હતી. આ મિશન પહેલાં ISROના PSLV એ અત્યાર સુધીમાં ઘણા સફળ પ્રક્ષેપણ પૂર્ણ કર્યા છે. આ સેટેલાઇટ વિશે એક ખાસ વાત એ હતી કે તે ટકાઉ અને જવાબદાર અવકાશ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલ. એવી પણ માહિતી સામે આવી છે કે EOS-09માં લાંબા સમય સુધી ટકી શકે તે માટેનું પૂરતું ફ્યુલ પણ હતું. જેના કારણે મિશન પૂર્ણ થયા બાદ તેને અવકાશમાંથી સુરક્ષિત રીતે ફરીથી ખસેડી શકાય. પરંતુ ટેકનિકલ ક્ષતિએ આ મિશન નિષ્ફળ થવા દીધી નથી.

Whatsapp-channel Whatsapp-channel

18 May, 2025 08:54 AM IST | Sriharikota | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK