ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતના નિવેદન બાદ, રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે રાજકીય શબ્દયુદ્ધ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ સંબંધિત મુદ્દા અંગે સરકાર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન પાસેથી જવાબો માગી રહ્યા છે.
કંગના રનૌત (તસવીર: મિડ-ડે)
સંસદમા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ અને કાર્યવાહી અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પાસેથી નિવેદનની માગણી વિરોધ પક્ષના નેતાઓ કરી રહ્યા છે. લોકસભામા વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ મુદ્દે સરકાર પાસેથી સતત જવાબ માગી રહ્યા છે. આ મામલે ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે રાહુલ ગાંધી અને વિપક્ષ પર નિશાન સાધ્યું છે. કંગના રનૌતે આરોપ લગાવ્યો કે વિપક્ષ સંસદીય કાર્યવાહીમા ખલેલ પહોંચાડી રહ્યું છે, જેનાથી દેશ અને સંસદ બન્નેની મજાક ઉડાડી રહી છે. તેમણે ટિપ્પણી કરી કે એક તરફ વિપક્ષ સરકાર પાસેથી જવાબ માગે છે, તો બીજી તરફ તેઓ સરકારનો પક્ષ સાંભળવા તૈયાર નથી.
કંગનાએ રાહુલ ગાંધીના વલણ પર સવાલ ઉઠાવ્યા
ADVERTISEMENT
રાહુલ ગાંધીના વલણ પર સવાલ ઉઠાવતા, કંગના રનૌતે વિરોધાભાસ તરફ ધ્યાન દોર્યું: એક જ શ્વાસમા, તેઓ ગોળીબારની ઘટના અંગે સ્પષ્ટતા માગે છે, છતાં સાથે સાથે સરકારનું સાંભળવાનો ઇનકાર કરે છે. કંગનાએ વધુમા દાવો કર્યો કે વિપક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની પણ માગ કરી રહી છે. તેમણે કહ્યું કે સંસદમા આવું વલણ લોકશાહી સંસ્થાઓની મજાક ઉડાવવા સમાન છે. કંગનાના મતે, વિપક્ષે પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ અને સંસદીય કાર્યવાહીને સુચારુ રીતે ચાલવા દેવી જોઈએ.
રાહુલ ગાંધીના પરિવાર પર ટિપ્પણીઓ
કંગના રનૌતે રાહુલ ગાંધીના પરિવાર અને રાજકીય પૃષ્ઠભૂમિ પર પણ ટિપ્પણી કરી. રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "તેમની `ઇટાલિયન માતા`એ તેમને લોકસભામા વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે." કંગનાએ આગળ પ્રશ્ન કર્યો કે જો તેમની માતા ઇટાલિયન ન હોત તો રાહુલ ગાંધીનું રાજકીય અસ્તિત્વ શું હોત.
રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શબ્દયુદ્ધ વધ્યું
#WATCH | Delhi: BJP MP Kangana Ranaut says, "Those who call themselves cockroaches, and we say that cockroaches emerge from gutters, what is wrong with that? My point is simply this: if people label themselves as cockroaches, and we say the gutter is their home, why should they… pic.twitter.com/TtXiTzgOlP
— ANI (@ANI) August 12, 2026
કંગના રનૌતના નિવેદન બાદ, રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે રાજકીય શબ્દયુદ્ધ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ સંબંધિત મુદ્દા અંગે સરકાર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન પાસેથી જવાબો માગી રહ્યા છે. આ દરમિયાન, ભાજપના નેતાઓ રાહુલ ગાંધી પર સંસદીય કાર્યવાહીમા ખલેલ પહોંચાડવાનો અને યુવાનોને અસર કરતા મુદ્દાઓનું રાજકીયકરણ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. વિદ્યાર્થીઓની આસપાસના વિવાદ અને ચાલી રહેલા સંસદીય ગતિરોધ વચ્ચે, બન્ને પક્ષો વચ્ચેનો રાજકીય મુકાબલો હવે વ્યક્તિગત ટિપ્પણીઓમા ઉતરી ગયો છે. આ મુદ્દા પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે નિવેદનોનું આદાનપ્રદાન આગામી દિવસોમા વધુ તીવ્ર બની શકે છે.
`સરકાર પાસે છુપાવવા માટે કશું નથી, હું દરેક સવાલનો જવાબ આપીશ`- અમિત શાહ
સંસદમાં ચાલી રહેલા ગતિરોધ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, જો વિપક્ષ ગૃહને કામ કરવા દે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ચાલી રહેલા ગતિરોધ અંગે પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે બુધવારે કહ્યું હતું કે સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષે ગૃહને ચાલવા દેવું જોઈએ. તેમણે આજે બપોરે 3 વાગ્યે ચર્ચા શરૂ કરવી જોઈએ. હું આવતીકાલે બપોરે 3 વાગ્યે ગૃહમાં બેસીશ, સાંભળીશ અને દરેકને જવાબ આપીશ. અમિત શાહનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રામ મંદિરના પ્રસાદની ચોરી અને જંતર-મંતર પર પોલીસ કાર્યવાહી અંગે સંસદમાં શાહના નિવેદન પર વિપક્ષ અડગ છે. સંસદ સંકુલમાં શાસક પક્ષ અને વિપક્ષ બંનેના વિરોધ વચ્ચે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું અને વિપક્ષની માંગણીઓનો સામનો કર્યો.
