Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઑપરેશન બ્લુસ્ટારની ૪૨મી વરસીએ સુવર્ણમંદિરમાં ખાલિસ્તાની સૂત્રોચ્ચાર

ઑપરેશન બ્લુસ્ટારની ૪૨મી વરસીએ સુવર્ણમંદિરમાં ખાલિસ્તાની સૂત્રોચ્ચાર

Published : 07 June, 2026 09:57 AM | IST | Punjab
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબ પોલીસ દ્વારા અમ્રિતસર અને એની આસપાસના વિસ્તારોમાં ભારે સુરક્ષા-બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

સિખ ધર્મના સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર અકાલ તખ્તની સામે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા

સિખ ધર્મના સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર અકાલ તખ્તની સામે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા


૧૯૮૪માં અમ્રિતસરના સુવર્ણમંદિરમાંથી ઉગ્રવાદીઓને બહાર કાઢવા માટે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ઑપરેશન બ્લુસ્ટારની ૪૨મી વરસીએ ગોલ્ડન ટેમ્પલ પરિસરમાં ખાલિસ્તાનતરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સિખ ધર્મના સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર અકાલ તખ્તની સામે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. આ લોકોના હાથમાં જરનૈલ સિંહ ભિંડરાંવાલેનાં પોસ્ટરો પણ જોવા મળ્યાં હતાં, જે ૧૯૮૪માં ગુરુદ્વારા પરિસરમાં સિખ ઉગ્રવાદીઓનું નેતૃત્વ કરી રહ્યો હતો અને ૬ જૂને ઑપરેશન દરમ્યાન તેને ઠાર મરાયો હતો. આ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પંજાબ પોલીસ દ્વારા અમ્રિતસર અને એની આસપાસના વિસ્તારોમાં ભારે સુરક્ષા-બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

શું હતું ઑપરેશન બ્લુસ્ટાર?
ઉલ્લેખનીય છે કે ૧૯૮૪ની ૬ જૂને તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના આદેશથી સેનાએ સુવર્ણમંદિરમાં ઑપરેશન હાથ ધર્યું હતું, જેમાં ભિંડરાંવાલે અને તેના સશસ્ત્ર સમર્થકો ઠાર મરાયા હતા. આ સૈન્ય કાર્યવાહીની વ્યાપક ટીકા થઈ હતી અને એના જ પરિણામસ્વરૂપ ૧૯૮૪ની ૩૧ ઑક્ટોબરે ઇન્દિરા ગાંધીની તેમના જ બે સિખ બૉડીગાર્ડ્સ દ્વારા નવી દિલ્હીમાં હત્યા કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 09:57 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK