Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ડરપોક જજ કહેવાવા કરતાં મરવું પસંદ કરીશ

ડરપોક જજ કહેવાવા કરતાં મરવું પસંદ કરીશ

Published : 09 September, 2026 01:15 PM | IST | muzaffarnagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમ જણાવીને મુઝફ્ફરનગરના જજે ૨૩મી ફાંસીની સજા ફટકારી : પત્નીને જીવતી સળગાવનારા પતિને મોતની સજા ફટકારતી વખતે જજ દિવાકરે ન્યાયતંત્રની સ્વતંત્રતા વિશે કડક ટિપ્પણી કરી

જજ દિવાકર

જજ દિવાકર


હું ડરપોક જજ કહેવાવા કરતાં મરવાનું વધુ પસંદ કરીશ એવી આકરી ટિપ્પણી સાથે મુઝફ્ફરનગરના જજ દિવાકરે પત્નીને જીવતી સળગાવનારા આરોપી નદીમને ફાંસીની સજા ફટકારી છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૪ મહિનામાં ૧૦ અલગ-અલગ કેસમાં તેઓ ૨૩મી વખત ફાંસીની સજા આપી ચૂક્યા છે.

૨૦૧૮ની ૨૩ જુલાઈએ દારૂના નશામાં ધુત નદીમે તેની પત્નીને ઢોરમાર મારી તેના પર કેરોસીન છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી. પત્ની ૯૮ ટકા દાઝી ગઈ હતી અને પાંચ દિવસ બાદ દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં તેનું મોત થયું હતું. 



આ કેસમાં ચુકાદો સંભળાવતી વખતે જજ દિવાકરે સ્પષ્ટ કહ્યું હતું કે ‘જજે નિર્ભય થઈને પોતાની ફરજ બજાવવી જોઈએ. કોઈ પણ બાહુબલી માફિયા કે ગુનેગારથી ડરવું જોઈએ નહીં. જો ન્યાયાધીશ ડરવા લાગશે તો ન્યાયતંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઊઠી જશે.’ 


જોકે નોંધનીય છે કે અલાહાબાદ હાઈ કોર્ટ દ્વારા હજી સુધી તેમની એક પણ ફાંસીની સજાને બહાલી આપવામાં આવી નથી અને ૯૭ જેટલી પડતર ફાઇલો તેમની કોર્ટમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 01:15 PM IST | muzaffarnagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK