Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > News in Shorts: વસંતપંચમી પર ૩.૫૬+ કરોડ લોકોએ સંગમમાં લગાવી ડૂબકી

News in Shorts: વસંતપંચમી પર ૩.૫૬+ કરોડ લોકોએ સંગમમાં લગાવી ડૂબકી

Published : 24 January, 2026 09:30 AM | Modified : 24 January, 2026 09:36 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

News in Shorts: અને વધુ સમાચાર

તસવીર સૌજન્યઃ એજન્સી

તસવીર સૌજન્યઃ એજન્સી


ગઈ કાલે વસંતપંચમીના અવસરે પ્રયાગરાજમાં ચાલતા માઘમેળામાં ૩.૫૬ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.

મધ્ય પ્રદેશમાં હવે ઇન્દોર બાદ મહુમાં દૂષિત પાણી પીવાથી ૨૫ જણ બીમાર



મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પીવાના દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ત્યાં હવે મહુ જિલ્લામાં પણ દૂષિત પાણીની સમસ્યા ઊભી થઈ છે. મહુ કૅન્ટોનમેન્ટ બોર્ડના પટ્ટીબજાર, ચંદર માર્ગ અને મોતી મહલ વિસ્તારમાં પીવાના દૂષિત પાણીને કારણે પચીસથી વધારે લોકો બીમાર થયા છે. ૯ લોકોને હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. બુધવારે સાંજે ઊલટી, પેટમાં દુખાવો અને ઝાડા થવાની ફરિયાદ બાદ દરદીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ જાણકારી પ્રાપ્ત થતાં કલેક્ટર શિવમ વર્મા રાતોરાત મહુ પહોંચ્યા હતા અને હૉસ્પિટલમાં બીમારોના ખબરઅંતર પૂછ્યા બાદ પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી. ગઈ કાલે સવારથી જ ડોર-ટુ-ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો હતો અને જે લોકોને બીમારીનાં હળવાં લક્ષણો છે તેમને ઘરે જ દવા આપવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે કોઈ પણ દરદીની તબિયત ગંભીર નથી અને હૉસ્પિટલમાં દાખલ લોકોને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2026 09:36 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK