Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં રહેતા ૪૦૦ હિન્દુઓના અસ્થિ-કળશ ગંગાજીમાં પધરાવવા ભારત લાવવામાં આવ્યા

પાકિસ્તાનમાં રહેતા ૪૦૦ હિન્દુઓના અસ્થિ-કળશ ગંગાજીમાં પધરાવવા ભારત લાવવામાં આવ્યા

Published : 05 February, 2025 10:40 AM | IST | Prayagraj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશના ભાગલા પડ્યા બાદ ત્રીજી વાર પાડોશી દેશ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓનું ગ્રુપ મૃત્યુ પામેલાં પોતાના ૪૦૦ સંબંધીઓના અસ્થિ-કળશ લઈને ભારત આવ્યું છે

પાકિસ્તાનમાં રહેતા ૪૦૦ હિન્દુઓના અસ્થિ-કળશ ગંગાજીમાં પધરાવવા ભારત લાવવામાં આવ્યા

પાકિસ્તાનમાં રહેતા ૪૦૦ હિન્દુઓના અસ્થિ-કળશ ગંગાજીમાં પધરાવવા ભારત લાવવામાં આવ્યા


દેશના ભાગલા પડ્યા બાદ ત્રીજી વાર પાડોશી દેશ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓનું ગ્રુપ મૃત્યુ પામેલાં પોતાના ૪૦૦ સંબંધીઓના અસ્થિ-કળશ લઈને ભારત આવ્યું છે. તેઓ આ કળશનાં અસ્થિ હરિદ્વાર ખાતે ગંગા નદીમાં પધરાવશે અને તેમને આશા છે કે તેમને પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા જવાની પરવાનગી મળશે.


સોમવારે કરાચીથી પંજાબમાં અટારી આવનાર પાકિસ્તાનના કરાચીમાં આવેલા શ્રી પંચમુખી હનુમાન મંદિરના મહંત રામનાથ મિશ્રાએ જણાવ્યું હતું કે ‘પાકિસ્તાનમાં રહેતા અનેક હિન્દુઓની ઇચ્છા હોય છે કે તેમના મૃત્યુ બાદ તેમનાં અસ્થિ ગંગા નદીમાં પધરાવવામાં આવે. તેમના કુટુંબીજનો તેમની આ અંતિમ ઇચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરે છે અને એટલે તેમના અસ્થિ-કળશ પાકિસ્તાનમાં મંદિરમાં સાચવવામાં આવે છે અને જ્યારે મોટી સંખ્યામાં કળશ ભેગા થાય પછી ભારતીય વીઝા મેળવવાના પ્રયત્ન કરવામાં આવે છે જેથી મૃત્યુ પામેલાં હિન્દુ ભાઈ-બહેનોની અંતિમ ઇચ્છા પૂરી થઈ શકે.’   


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2025 10:40 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK