Ram Temple Donation Theft Case: અયોધ્યાના રામ મંદિરમાં કથિત દાન ચોરી કેસની તપાસ કરી રહેલી SITએ આખરી અહેવાલ સોંપ્યો; ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી ચંપત રાય અને પૂર્વ ટ્રસ્ટ સભ્ય અનિલ મિશ્રાને ક્લીન ચિટ આપવામાં આવી છે
ફાઇલ તસવીર
અયોધ્યા (Ayodhya) ના રામ મંદિર (Ram Mandir) માં કથિત દાન ચોરી કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (Special Investigation Team) એ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) ના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી ચંપત રાય (Champat Rai) અને પૂર્વ ટ્રસ્ટ સભ્ય અનિલ મિશ્રા (Anil Mishra) ને તમામ આરોપોમાંથી મુક્ત કરી ક્લીન ચિટ આપી છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ગૃહ વિભાગે SIT ના આખરી તપાસ અહેવાલની સમીક્ષા કરીને આગળની વહીવટી કાર્યવાહી માટે તેને મંદિર ટ્રસ્ટને સોંપ્યો છે. અંતિમ ચાર્જશીટ/અહેવાલમાં ચંપત રાય કે અનિલ મિશ્રામાંથી કોઈને પણ આરોપી બનાવવામાં આવ્યા નથી.
આરોપોની પૃષ્ઠભૂમિ અને રાજીનામા
ADVERTISEMENT
મંદિરમાં ચઢાવાના સંચાલન અંગેનો વિવાદ (Ram Temple Donation Theft Case) ૭ જૂનના રોજ સામે આવ્યો હતો, જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા તેજ નારાયણ `પવન` પાંડેએ આરોપ લગાવ્યો હતો કે મંદિરના દાનમાંથી રુપિયા ૫ કરોડથી રુપિયા ૭.૫ કરોડની ઉચાપત કરવામાં આવી છે. આ આરોપો બાદ, મંદિર ટ્રસ્ટની વિનંતી પર રાજ્ય સરકારે ૧૩ જૂને ત્રણ સભ્યોની SIT ની રચના કરી હતી.
તપાસ ચાલી રહી હતી તે દરમિયાન જ ૨૭ જૂનના રોજ ચંપત રાય અને અનિલ મિશ્રાએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાંથી પોતપોતાના હોદ્દા પરથી રાજીનામા આપી દીધા હતા. બંને અધિકારીઓએ સમગ્ર તપાસ દરમિયાન પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.
દાન વ્યવસ્થાપન પ્રક્રિયાની સઘન તપાસ
લખનઉના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંતની આગેવાની હેઠળની આ SIT એ, જેમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (લખનઉ રેન્જ) કિરણ એસ અને સ્પેશિયલ સેક્રેટરી (ફાઇનાન્સ) નીલ રતન કુમાર સામેલ હતા, અયોધ્યામાં દાન વ્યવસ્થાપનની સંપૂર્ણ પ્રક્રિયાની બારીકાઈથી તપાસ કરી હતી. આ સમિતિએ દાનપેટીના લોજિસ્ટિક્સ, રોકડ ગણતરીની પ્રક્રિયા, વોલ્ટ સ્ટોરેજ પ્રોટોકોલ, એકાઉન્ટિંગ એન્ટ્રીઓ, એક્સેસ કંટ્રોલ રેકોર્ડ્સ અને વ્યાપક CCTV ફૂટેજની સમીક્ષા કરી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન, SIT એ ૨૭ એપ્રિલથી ૫ જૂન, ૨૦૨૬ વચ્ચે ગણતરી રૂમમાં કામગીરી સંબંધિત ક્ષતિઓ અને રોકડની વિસંગતતાઓ શોધી કાઢી હતી. ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદ પર ૨૫ જૂને શ્રી રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR બાદ, પોલીસે કેશ-હેન્ડલિંગ સ્ટાફ અને કોન્ટ્રાક્ટરો સહિત ૮ લોકોની ધરપકડ કરી હતી. જોકે, અંતિમ અહેવાલમાં પુષ્ટિ કરવામાં આવી છે કે આ ગેરરીતિમાં રાય કે મિશ્રાની કોઈ સંડોવણી નહોતી.
અહેવાલ ટ્રસ્ટને સુપ્રત, ન્યાયિક દેખરેખ ચાલુ
પ્રથમ SIT એ પોતાની તપાસ પૂર્ણ કરીને આખરી તારણો સબમિટ કરતાં, ઉત્તર પ્રદેશ સરકારે આ દસ્તાવેજો સત્તાવાર રીતે મંદિર ટ્રસ્ટને સોંપ્યા છે. બીજી તરફ, સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ગઠિત બીજી SIT હાલમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલા ૮ ધરપકડ કરાયેલા આરોપીઓ સામેની કાનૂની કાર્યવાહી અને મુકદ્દમાની દેખરેખ રાખી રહી છે.
વર્ષ ૨૦૧૯ ના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૦ માં સ્થપાયેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, મંદિર સંકુલના રોજિંદા સંચાલન અને વિકાસ કાર્યોની દેખરેખ રાખવાનું ચાલુ રાખશે.
