Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઔરંગઝેબ કે તેની કબર આજે જરાય પ્રાસંગિક નથી

ઔરંગઝેબ કે તેની કબર આજે જરાય પ્રાસંગિક નથી

Published : 20 March, 2025 09:57 AM | Modified : 21 March, 2025 06:59 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઔરંગઝેબની કબર હટાવવાની માગણી કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે રાજ્યભરમાં સોમવારે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. એને પગલે સોમવારે બપોર બાદ નાગપુરમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલય રેશિમ બાગ પાસે રમખાણ ફાટી નીકળ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઔરંગઝેબની કબર હટાવવાની માગણી કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે રાજ્યભરમાં સોમવારે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. એને પગલે સોમવારે બપોર બાદ નાગપુરમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલય રેશિમ બાગ પાસે રમખાણ ફાટી નીકળ્યું હતું. RSSના નૅશનલ પબ્લિસિટી ઇન્ચાર્જ સુનીલ આંબેકરે ગઈ કાલે બૅન્ગલોરમાં પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી એમાં ૩૦૦ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ઔરંગઝેબ અને તેની કબર આજે કેટલી પ્રાસંગિક છે? એવા સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘ઔરંગઝેબ કે તેની કબર આજે જરાય પ્રાસંગિક નથી. મને લાગે છે કે અત્યારે કબર હટાવવાની કોઈએ ઝુંબેશ કે માગણી ન કરવી જોઈએ. કોઈ પણ પ્રકારની હિંસા સોસાયટી માટે સારી નથી. પોલીસે હિંસક ઘટનાની ફરિયાદ નોંધીને સંબંધિતો સામે કાર્યવાહી શરૂ કરી છે અને અમને વિશ્વાસ છે કે આ બાબતની પોલીસ ઊંડાણથી તપાસ કરશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2025 06:59 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK