Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અરાવલીમાં પ્રતિબંધ છતાં ગેરકાનૂની ખાણકામ ચાલુ છે એ ખોટું છે એમ જણાવીને સુપ્રીમ કોર્ટે કહ્યું...

અરાવલીમાં પ્રતિબંધ છતાં ગેરકાનૂની ખાણકામ ચાલુ છે એ ખોટું છે એમ જણાવીને સુપ્રીમ કોર્ટે કહ્યું...

Published : 22 January, 2026 09:02 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્યાં સુધી ટેકરીની નવી પરિભાષા ન બને ત્યાં સુધી ખાણકામ પર સ્ટે ચાલુ રહેશે

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ


બુધવારે સુપ્રીમ કોર્ટે અરાવલીમાં હજીયે ગેરકાનૂની રીતે ખાણકામ થઈ રહ્યું હોવાની નોંધ લઈને રાજસ્થાન સરકારને આ બાબતે કડક પગલાં લેવાનો નિર્દેશ કર્યો હતો. આ ગેરકાયદે ખાણકામથી થઈ રહેલી અપૂરણીય ક્ષતિ સંદર્ભે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે આ બાબતે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતોની એક ટીમ બનાવવામાં આવશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમલ્લા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે વધારાનાં સૉલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટી અને ન્યાયમિત્ર કે. પરમેશ્વરને ૪ અઠવાડિયાંની અંદર ખાણકામ ક્ષેત્રના નિષ્ણાત પર્યાવરણવાદીઓ અને વૈજ્ઞાનિકોનાં નામ સૂચવવા જણાવ્યું છે જેથી આ મુદ્દે વિભિન્ન પહેલુઓની તપાસ માટે નિષ્ણાત સમિતિનું ગઠન થઈ શકે.

સુપ્રીમ કોર્ટે એના એ આદેશનો પણ વિસ્તાર કર્યો હતો જેમાં અરાવલીના પહાડો અને પર્વતમાળાને એકસમાન પરિભાષિત સ્વીકારવાના ૨૦ નવેમ્બરના આદેશને સ્થગિત કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ સ્ટે ચાલુ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2026 09:02 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK