Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમિત શાહે કાશ્મીર મુદ્દે કર્યું નવું એલાન

અમિત શાહે કાશ્મીર મુદ્દે કર્યું નવું એલાન

Published : 26 March, 2025 12:36 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હુર્રિયત કૉન્ફરન્સનાં બે સંગઠને અલગતાવાદ સાથે સંબંધો તોડ્યા

અમિત શાહ

અમિત શાહ


જમ્મુ અને કાશ્મીરમાં લાંબા સમયથી અલગતાવાદને પ્રોત્સાહન આપતી હુર્રિયત કૉન્ફરન્સનાં બે સંગઠનો અલગ થઈ ગયાં છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે જાહેરાત કરી હતી કે હુર્રિયતનાં બે સંગઠન જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ અને ડેમોક્રેટિક પૉલિટિકલ મૂવમેન્ટે અલગતાવાદ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. 


સોશ્યલ મીડિયા પર આ માહિતી આપતાં અમિત શાહે લખ્યું હતું કે ‘કાશ્મીરમાં અલગતાવાદ હવે ભૂતકાળની વાત બની રહ્યો છે. મોદી સરકારની એકીકરણ નીતિઓને કારણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો અંત આવી રહ્યો છે. હુર્રિયતનાં બે સંગઠનો જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ અને ડેમોક્રેટિક પૉલિટિકલ મૂવમેન્ટે અલગતાવાદ સાથેના તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી છે. હું ભારતની એકતાને મજબૂત બનાવવા તરફના આ મહત્ત્વપૂર્ણ પગલાનું સ્વાગત કરું છું અને આવાં તમામ સંગઠનોને આગળ આવવા અને અલગતાવાદનો કાયમ માટે અંત લાવવા વિનંતી કરું છું. અન્ય અલગતાવાદી સંગઠનોએ પણ શીખવું જોઈએ અને સાથે આવવું જોઈએ.’ 



આ નરેન્દ્ર મોદીની વિકાસ, શાંતિ અને એક ભારતની નીતિઓનો વિજય છે. આ મહિનાની શરૂઆતમાં કેન્દ્ર સરકારે હુર્રિયત કૉન્ફરન્સ સાથે સંકળાયેલાં બે સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2025 12:36 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK