વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. PM મોદીએ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા માટે તકતીનું અનાવરણ કર્યું. PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનાં નિર્માણ અને વિકાસમાં મદદ કરનાર કાર્યકર્તાઓનું સન્માન કર્યું. તેમણે 28 મેના રોજ નવી સંસદ ભવન ખાતે `સર્વધર્મ` પ્રાર્થના સમારોહમાં પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર હતા.