કર્ણાટકમાં હુબલી-ધારવાડમાં વિકાસ પ્રોજેક્ટ માટે શિલાન્યાસ અને લોકાર્પણ કરતી વખતે સભામાં વડા પ્રધાને કહ્યું હતું કે, ‘કૉન્ગ્રેસ મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહી છે. કૉન્ગ્રેસ મોદીની કબર ખોદવામાં બિઝી છે, જ્યારે મોદી બૅન્ગલોર-મૈસૂર એક્સપ્રેસવે બનાવવામાં બિઝી છે. મોદી ગરીબોનું જીવન સુવિધાયુક્ત બનાવવામાં બિઝી છે. કૉન્ગ્રેસના નેતાઓને ખબર નથી કે માતાઓ, બહેનો અને આ દેશના લોકોના આશીર્વાદ મારા માટે સુરક્ષાકવચનું કામ કરે છે.’