Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડમાં ૨૦૫૦ સુધીમાં ૨૫ લાખ બિલાડીઓને મારી નાખવામાં આવશે

ન્યુ ઝીલૅન્ડમાં ૨૦૫૦ સુધીમાં ૨૫ લાખ બિલાડીઓને મારી નાખવામાં આવશે

Published : 02 December, 2025 11:23 AM | IST | NewZealand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડમાં હવે ફેરલ કૅટ્સ તરીકે જાણીતી જંગલી બિલાડીઓને ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

જંગલી બિલાડીઓ

અજબગજબ

જંગલી બિલાડીઓ


ન્યુ ઝીલૅન્ડમાં હવે ફેરલ કૅટ્સ તરીકે જાણીતી જંગલી બિલાડીઓને ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલું દેશના અનોખા વાઇલ્ડલાઇફ વૈવિધ્યને બચાવવા માટે લેવામાં આવ્યું છે. આ બિલાડીઓ પંખીઓ, ગરોળીઓ અને ચામાચીડિયાંનો શિકાર કરી રહી છે. એમાંથી કેટલાંક પંખી અને જંતુઓ દુર્લભ અને ભાગ્યે જ જોવા મળે એવી પ્રજાતિનાં હોય છે. થોડા સમય પહેલાં બિલાડીઓએ ૧૦૦થી વધુ દુર્લભ ચામાચીડિયાંનો શિકાર કર્યો હતો. આ જંગલી બિલાડીઓ કદમાં પણ જાયન્ટ હોય છે. પૂંછડી સાથે એમનું કદ લગભગ એક મીટર જેટલું હોય છે. આ બિલાડીઓ ટૉક્સોપ્લાઝમોસિસ નામની ચેપી બીમારી પણ ફેલાવી શકે છે. એનાથી માણસો, પાળતુ પ્રાણીઓ અને ઈવન ડૉલ્ફિન જેવાં જળચર પ્રાણીઓને પણ ચેપ લાગી શકે છે. આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને દેશમાં જ્યાં પણ ફેરલ કૅટ્સ દેખાય એને મારી નાખવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2025 11:23 AM IST | NewZealand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK