Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બિહારના સમસ્તીપુરમાં નાગપંચમીએ યોજાયો અનોખો સર્પમેળો

બિહારના સમસ્તીપુરમાં નાગપંચમીએ યોજાયો અનોખો સર્પમેળો

Published : 17 July, 2025 01:00 PM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેળાની શરૂઆતમાં ભગત લોકો સિંધિયામાં આવેલા માતા ભગવતીના મંદિરમાં પૂજાઅર્ચના કરીને ઢોલનગારાં સાથે નદી પર પહોંચે છે

૩૦૦ વર્ષથી બૂઢી ગંડક નદીમાં આ સાપનો મેળો યોજવામાં આવે છે.

અજબગજબ

૩૦૦ વર્ષથી બૂઢી ગંડક નદીમાં આ સાપનો મેળો યોજવામાં આવે છે.


બિહારના સમસ્તીપુર જિલ્લાના સિંધિયા વિસ્તારમાં મંગળવારે નાગપંચમી નિમિત્તે અનોખો સર્પમેળો યોજાયો હતો. છેલ્લાં ૩૦૦ વર્ષથી બૂઢી ગંડક નદીમાં આ સાપનો મેળો યોજવામાં આવે છે. ભારતમાં એકમાત્ર આ સ્થળે યોજાતા આ અનોખા મેળાને જોવા દેશભરમાંથી ભક્તો આવે છે. એવી માન્યતા છે કે આ સર્પમેળામાં માગવામાં આવતી ઇચ્છાઓ પૂરી થાય છે. મેળાની શરૂઆતમાં ભગત લોકો સિંધિયામાં આવેલા માતા ભગવતીના મંદિરમાં પૂજાઅર્ચના કરીને ઢોલનગારાં સાથે નદી પર પહોંચે છે અને માતા વિષહરીનું નામ લઈને નદીમાં ડૂબકી લગાવીને હાથ અને મોંથી સાપને પકડીને બહાર કાઢે છે. આ જોઈને લોકો અચંબામાં મુકાય છે. નદીમાંથી કાઢવામાં આવેલા સાપોને પછી સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવે છે. માતા વિષહરીના આશીર્વાદથી ભક્તોની રક્ષા થાય છે. આ વર્ષે પણ એક ભક્તે નદીમાંથી સેંકડો સાપ કાઢ્યા હતા, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. એવું માનવામાં આવે છે કે અહીં કરેલી મનોકામનાઓ પૂરી થાય


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2025 01:00 PM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK