Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જય હો ગંગામૈયા, નદીની શેવાળ ગંદું પાણી અને કેમિકલ પણ સાફ કરી નાખશે

જય હો ગંગામૈયા, નદીની શેવાળ ગંદું પાણી અને કેમિકલ પણ સાફ કરી નાખશે

Published : 09 August, 2024 11:24 AM | IST | Varanasi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાયોફ્યુઅલ, બાયોમાસ એનર્જી, સપ્લિમેન્ટ પ્રોટીન તરીકે પણ આ શેવાળનો ઉપયોગ થઈ શકે છે

શેવાળ

અજબગજબ

શેવાળ


ગંગાનું જળ તો તનમનને શુદ્ધ કરે જ છે પરંતુ એમાં થયેલી શેવાળ પણ શુદ્ધીકરણ કરે છે એ જાણીને નવાઈ લાગશે. થોડા દિવસ પહેલાં ધોધમાર વરસાદને કારણે ગંગા નદીમાં પૂર આવ્યું હતું અને પૂરનાં એ પાણીમાં શેવાળ પણ જોવા મળી હતી. IIT-BHUના વિજ્ઞાનીઓએ વારાણસીના રવિદાસ ઘાટ પાસેથી શેવાળના નમૂના લીધા હતા અને પછી સંશોધન કર્યું હતું. એમાં જાણવા મળ્યું કે ગંગામાં બે શેવાળની નવી પ્રજાતિ મળી છે. વિજ્ઞાનીઓએ બન્નેનાં નામ VSVM-1 અને VSVM-2 રાખ્યાં છે. IITના બાયો કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના અસિસ્ટન્ટ પ્રોફેસર વિશાલ સિંહે કહ્યું કે ગંગામાંથી મળેલી આ બે શેવાળમાં નદીના ગંદા પાણીને ચોખ્ખું કરવાની ક્ષમતા છે અને પાણીમાં ભળેલાં જોખમી રસાયણો પણ શોષી શકે છે. એ તો ઠીક, બાયોફ્યુઅલ, બાયોમાસ એનર્જી, સપ્લિમેન્ટ પ્રોટીન તરીકે પણ આ શેવાળનો ઉપયોગ થઈ શકે છે. પશુઓનો ચારો પણ બનાવી શકાય છે. કેન્દ્ર સરકારે આ સંશોધનની પેટન્ટને મંજૂરી આપી દીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2024 11:24 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK