સ્થાનિક કવિ માધવદેવનાં તમામ બોરગીત વણેલું કપડું તેણે તૈયાર કર્યું છે. આ અનોખી શરૂઆત તેણે ૨૦૨૩માં કરી હતી. સામાન્ય રીતે આસામની મહિલાઓ કોઈ ખાસ પ્રસંગે પહેરવાનું ગમસા કપડું જાતે જ વણતી હોય છે
જ્યોતિ બોરા દત્તા
આસામના જોરહાટ નજીકના ગામમાં રહેતી જ્યોતિ બોરા દત્તા નામની એક વણકર મહિલાએ પરંપરાગત ગમસા નામના કપડામાં પવિત્ર ગ્રંથોના શ્ળોકો વણીને કાપડને સાંસ્કૃતિક વિરાસત બનાવી દીધું હતું. જ્યોતિ લૂમ પર જ દોરાઓની એવી રીતે ગોઠવણ કરે છે કે ગમસા નામનું એવું કપડું તૈયાર થાય છે જેના પર ચોક્કસ શ્ળોકો ઉકેરાયા હોય. તેણે અત્યાર સુધીમાં ગમસા પર રામાયણ, મહાભારત, ભાગવત પુરાણ, રાષ્ટ્રગીત અને નૉર્થ-ઈસ્ટનાં પરંપરાગત બોરગીતો દોરામાં વણીને કપડાં તૈયાર કર્યાં છે. સ્થાનિક કવિ માધવદેવનાં તમામ બોરગીત વણેલું કપડું તેણે તૈયાર કર્યું છે. આ અનોખી શરૂઆત તેણે ૨૦૨૩માં કરી હતી. સામાન્ય રીતે આસામની મહિલાઓ કોઈ ખાસ પ્રસંગે પહેરવાનું ગમસા કપડું જાતે જ વણતી હોય છે, પરંતુ જ્યોતિને એ વણાટમાં બારીક ક્રીએટિવિટી કરવાનું મન થયું અને અત્યાર સુધીમાં અનેક ધાર્મિક ગ્રંથોના શ્ળોકો, રાષ્ટ્રગીત, ગુણમાલા કપડામાં વણી ચૂકી છે.

