વર પક્ષનું કહેવું હતું કે જો વિવાહ થયાના તરત બાદ જ જો દુલ્હન સાસરે આવવા તૈયાર નથી તો ભવિષ્યમાં તેમનું વૈવાહિક જીવન ચલાવવું મુશ્કેલ બની જશે
પ્રતીકાત્મક તસવીર
હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના અંબોટા નામના ગામમાં એક વિચિત્ર લગ્નસમારંભ થયો. અહીં એક યુગલે રંગેચંગે લગ્ન કર્યાં હતાં અને આખું ગામ એમાં સહભાગી બન્યું. પૂરા રીતરિવાજ અને ધામધૂમથી વરવધૂએ સાત ફેરા લીધા. આ વિવાહ બગલામુખી મંદિરમાં થયા. જોકે ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે લગ્ન પત્યા પછી દુલ્હને પતિ સાથે સાસરે જવાનો ઇનકાર કરી દીધો. વર પક્ષ જ નહીં, કન્યા પક્ષ પણ દુલ્હનને મનાવી-મનાવીને થાક્યો, પણ દુલ્હન ટસની મસ ન થઈ. મામલો પોલીસ પાસે પહોંચ્યો. પોલીસે પણ બન્ને પક્ષો સાથે વાતચીત કરી. વર પક્ષનું કહેવું હતું કે જો વિવાહ થયાના તરત બાદ જ જો દુલ્હન સાસરે આવવા તૈયાર નથી તો ભવિષ્યમાં તેમનું વૈવાહિક જીવન ચલાવવું મુશ્કેલ બની જશે. લાંબી વાતચીત પછી બન્ને પરિવારોએ આપસી સહમતીથી છૂટા પડી જવાનો નિર્ણય લઈ લીધો. કોઈ કાનૂની વિવાદ વિના લગ્નના બંધનને સામાજિક ધોરણે ફોક ગણી લેવામાં આવ્યો. અંબોટા ગામમાં હવે ચર્ચા ચાલી છે કે લગ્ન કરવા તૈયાર થઈ ગયેલી દુલ્હન સાસરે જવા કેમ તૈયાર નહોતી? એનું કારણ શું હતું?
