Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ખજાનાની શોધમાં ચોરોએ પ્રાચીન શિવમંદિરમાં તોડફોડ કરી નાખી

ખજાનાની શોધમાં ચોરોએ પ્રાચીન શિવમંદિરમાં તોડફોડ કરી નાખી

Published : 28 October, 2025 01:27 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખજાનો હાથ લાગ્યો કે નહીં એની ખબર નથી પડી, પરંતુ ગામલોકો આ ઘટનાથી ખૂબ ગુસ્સે ભરાયા હતા

દધીશ્વર મંદિર

અજબગજબ

દધીશ્વર મંદિર


મધ્ય પ્રદેશના રતવા ગામમાં આવેલા પ્રાચીન અને ઐતિહાસિક દધીશ્વર શિવ મં‌દરમાં એક જ રાતમાં ચોરોએ ખજાનો શોધવા માટે થઈને શિવલિંગ અને નંદી ઉખાડીને આખા મંદિરને ખોદી કાઢ્યું હતું. તેમને ખજાનો હાથ લાગ્યો કે નહીં એની ખબર નથી પડી, પરંતુ ગામલોકો આ ઘટનાથી ખૂબ ગુસ્સે ભરાયા હતા.

મંદિર જંગલ જેવા વિસ્તારમાં પહાડી પર ૧૪૦૦ વર્ષ જૂનું છે. ૧૧મી સદીમાં પૃથ્વીરાજના સમયે બંધાયેલા દધીશ્વર મંદિરમાં વિશાળ શિવલિંગ અને નંદીની પ્રતિમા હતાં. ખૂબ સીધાસાદા આ મંદિરનાં દ્વાર સાંજે અંધારું થતાં બંધ કરી દેવામાં આવતાં હતાં. પૂજારી રાધાકૃષ્ણનું કહેવું હતું કે ‘સાંજે મેં પૂજા-આરતી કરી ત્યાં સુધી બધું જ બરાબર હતું, પરંતુ જ્યારે વહેલી સવારે પૂજા માટે મંદિરે આવ્યો તો વિશાળ નંદીની પ્રતિમા ઊખડીને બીજે પડી હતી અને ત્યાં ૧૦ ફુટથી વધુ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. મેં તરત જ ગામના અન્ય લોકોને જાણ કરી હતી.’



લોકોનું કહેવું છે કે અસામાજિક તત્ત્વોએ ખજાનો શોધવા માટે આવું કર્યું હોઈ શકે છે. બે મહિના પહેલાં પણ નંદીને એની મૂળ જગ્યાએથી બીજે ખસેડવાની કોશિશ થઈ હતી, પરંતુ એ વિશે કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. અજ્ઞાત આરોપીઓ સામે લોકોની ધાર્મિક લાગણીને દુભાવવાનો ગુનો નોંધાયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2025 01:27 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK