Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટ્રેનના ડબ્બામાં ઉંદર બૅગ કાતરી ગયો, રેલવેએ મુસાફરને આપવું પડશે ૧૫,૦૦૦ રૂપિયા વળતર

ટ્રેનના ડબ્બામાં ઉંદર બૅગ કાતરી ગયો, રેલવેએ મુસાફરને આપવું પડશે ૧૫,૦૦૦ રૂપિયા વળતર

Published : 31 May, 2026 01:40 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોર્ટે પણ આ ઘટનાને રેલવેની લાપરવાહી ગણી હતી અને મુસાફરને ૧૫,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


મધ્ય પ્રદેશના કટનીમાં રેલવે સાથે સંકળાયેલો એક કિસ્સો ચર્ચામાં છે. જિલ્લાની કન્ઝ્યુમર કોર્ટમાં એક મુસાફરે રેલવે સામે કેસ કર્યો હતો. વાત એમ હતી કે કટનીમાં રહેતા બિપિન દુબે નામના ભાઈ ૨૦૨૦માં કટનીથી કલ્યાણ ગયા હતા. તેમણે એક ટ્રેનમાં થર્ડ AC કોચમાં મુસાફરી કરી હતી. એ દરમ્યાન તેમણે પોતાની બૅગ સીટની નીચે મૂકી હતી. જોકે ઊતરવાના સમયે જોયું તો ટ્રેનમાં ફરતા ઉંદરોએ તેની બૅગ કાતરીને એમાંથી કપડાં અને અન્ય સામાન કતરી નાખ્યો હતો. એને કારણે તેમને ઘણું નુકસાન થયું હતું. બિપિન દુબેએ આ ઘટનાને રેલવેની સર્વિસમાં કમી ગણાવીને કન્ઝ્યુમર કોર્ટમાં ધા નાખી હતી. કોર્ટે પણ આ ઘટનાને રેલવેની લાપરવાહી ગણી હતી અને મુસાફરને ૧૫,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 01:40 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK