Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વૃંદાવનમાં થતા ખીચડી ઉત્સવમાં ઠાકુરજી અવનવા સ્વરૂપે દર્શન દે છે, ક્યારેક ક્રિકેટર તો ક્યારેક પનિહારી

વૃંદાવનમાં થતા ખીચડી ઉત્સવમાં ઠાકુરજી અવનવા સ્વરૂપે દર્શન દે છે, ક્યારેક ક્રિકેટર તો ક્યારેક પનિહારી

Published : 20 January, 2026 01:18 PM | IST | Vrindavan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઠંડીના દિવસોમાં ગરમાહટ આપે એ માટે રોજેરોજ તેમને પંચમેવાયુક્ત ખીચડીનો ભોગ ધરવામાં આવે છે

મૂર્તિ

અજબ ગજબ

મૂર્તિ


વૃંદાવનમાં શ્રીહિત હરિવંશ મહાપ્રભુના ઠાકુર રાધાવલ્લભલાલજીનો શિયાળાની સીઝનમાં ખીચડી ઉત્સવ ચાલી રહ્યો છે. ઠંડીના દિવસોમાં ગરમાહટ આપે એ માટે રોજેરોજ તેમને પંચમેવાયુક્ત ખીચડીનો ભોગ ધરવામાં આવે છે. લગભગ એક મહિનો ચાલનારા આ ખીચડી ઉત્સવમાં ઠાકુરજી રોજ કોઈક નવા જ સ્વરૂપે દર્શન દે છે. આ પ્રથાને છદ્‍મસ્વરૂપ દર્શન કહેવાય છે. ક્યારેક ભોલેનાથ બની જાય છે તો ક્યારેક ગોવાળ, ક્યારેક પનિહારી બનીને ભક્તોને દર્શન આપે છે. જોકે આ વખતે ઠાકુરજીએ ક્રિકેટરસિકોને ખુશ કરી દીધા છે. મંગળા આરતીમાં જ્યારે ઠાકુરજીનાં પટ ખૂલ્યાં તો સૌ અચંબિત રહી ગયા હતા. લીલાધરે મસ્ત ક્રિકેટર બનીને દર્શન આપ્યાં હતાં. હાથમાં વિકેટકીપિંગનાં ઊનનાં ગ્લવ્ઝ પહેર્યાં હતાં અને થોડેક આગળ ત્રણ સ્ટમ્પ્સ પણ હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2026 01:18 PM IST | Vrindavan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK