Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > તામિલનાડુના આ ગામમાં ગોબરની લડાઈ કરીને દિવાળી ઊજવાય છે

તામિલનાડુના આ ગામમાં ગોબરની લડાઈ કરીને દિવાળી ઊજવાય છે

Published : 21 October, 2025 01:31 PM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તામિલનાડુના ઇરોડ જિલ્લામાં એક ગામ છે થલાવાડી. આ ગામમાં છેલ્લા ત્રણ સૈકાથી લોકો એકબીજાની સામે ગાયનું છાણ એકબીજા પર ફેંકીને દિવાળી ઊજવે છે.

આ ઉજવણીમાં ગામની ભાગોળે આવેલો ચોરો ગાયના છાણની ગંદકીથી ઊભરાઈ ઊઠે છે.

અજબગજબ

આ ઉજવણીમાં ગામની ભાગોળે આવેલો ચોરો ગાયના છાણની ગંદકીથી ઊભરાઈ ઊઠે છે.


દિવાળીની ઉજવણી દરમ્યાન જાતજાતની પરંપરાઓ ભારતના ખૂણે-ખૂણે નિભાવાય છે. જોકે એક ગામમાં સાવ જ અનપેક્ષિત રીતે દિવાળીની ઉજવણી થાય છે. તામિલનાડુના ઇરોડ જિલ્લામાં એક ગામ છે થલાવાડી. આ ગામમાં છેલ્લા ત્રણ સૈકાથી લોકો એકબીજાની સામે ગાયનું છાણ એકબીજા પર ફેંકીને દિવાળી ઊજવે છે. આ ઉજવણીમાં ગામની ભાગોળે આવેલો ચોરો ગાયના છાણની ગંદકીથી ઊભરાઈ ઊઠે છે. આ ગામમાં દિવાળીના ઉત્સવનો અંત ગોરેહબ્બા નામના ઉત્સવથી થાય છે. આપણને જે વિચિત્ર લાગે છે એને સ્થાનિક લોકો શ્રદ્ધાપૂર્વક મનાવે છે. આ દિવસે લોકો પોતપોતાના ઘરે જેટલું પણ ગોબર એકઠું થયું હોય એ લઈને મંદિર જાય છે. મંદિરની બહારના એક ખુલ્લા મેદાનમાં ગોબર ફેલાવી દેવામાં આવે છે. એ પછી લોકો એ ગોબરના ગોળા બનાવીને એકબીજા પર ફેંકે છે. બીરેશ્વરાર મંદિરમાં દિવાળીના ચોથા દિવસે ખાસ ઉત્સવ ઊજવાય એ પછીથી ગોબરથી હોળી રમવામાં આવે છે. આ માટે ગાયના ગોબરને થોડુંક સૂકવી દેવામાં આવે છે જેથી ગંધાય ઓછું. સુકાયેલું ગોબર ગામની ગલીઓમાં એકબીજાની ઉપર ફેંકીને મારવામાં આવે છે. સદીઓ પહેલાં જ્યાં ગામના લોકો ગાયનું છાણ ભરી રાખતા હતા એ ખાડામાંથી એક શિવલિંગ જેવું મળી આવ્યું હતું. આ શિવલિંગને બીરેશ્વરાર મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું. એ પછીથી ગામલોકોમાં રિવાજ પડી ગયો કે લોકો દર વર્ષે દિવાળીમાં ઘરે-ઘરેથી એકઠું કરેલું છાણ મંદિરની બહાર એકઠું કરે અને એનાથી ઉત્સવ મનાવે. લોકો એમાં ખૂંપીને રમે. ઉત્સવ પૂરો થયા પછી લોકો ગોબર પોતાના ખેતરમાં લઈ જઈને વેરી નાખે. આ છાણ કમ્પોસ્ટની ગરજ સારે છે અને એને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે. આવો જ ઉત્સવ કર્ણાટક-તામિલનાડુની બૉર્ડર પર આવેલા ગુમાતાપુરા ગામમાં પણ મનાવવામાં આવે છે. ટૂંકમાં દિવાળી માત્ર પ્રકાશ અને મીઠાઈઓનો જ ઉત્સવ નથી, કેટલાંક ગામોમાં ખેતરોને ફળદ્રુપ બનાવવા માટેનો ઉત્સવ પણ છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2025 01:31 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK