Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જમશેદપુરમાં હરમંગેયા પર્વ પર બે બાળકોનાં પ્રતીકાત્મક લગ્ન ડૉગી સાથે કરાવવામાં આવ્યાં

જમશેદપુરમાં હરમંગેયા પર્વ પર બે બાળકોનાં પ્રતીકાત્મક લગ્ન ડૉગી સાથે કરાવવામાં આવ્યાં

Published : 19 February, 2026 11:29 AM | IST | Jharkhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝારખંડના જમશેદપુરમાં તાજેતરમાં હરમંગેયા નામનું પર્વ ઊજવાયું. આ પર્વમાં બે છોકરાનાં પ્રતીકાત્મક લગ્ન કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યાં હતાં

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ઝારખંડના જમશેદપુરમાં તાજેતરમાં હરમંગેયા નામનું પર્વ ઊજવાયું. આ પર્વમાં બે છોકરાનાં પ્રતીકાત્મક લગ્ન કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યાં હતાં. આ જનજાતિની સદીઓ જૂની પરંપરા છે. જે બાળકોના ઉપરના દાંત પહેલાં ફૂટે એને અશુભ માનવામાં આવે છે. એવું મનાય છે કે આવાં બાળકો સાથે કોઈક અનહોની અને દુર્ઘટના થવાની સંભાવના વધુ રહે છે. દૈવીય આપત્તિ માત્ર બાળક પર જ નહીં, આખા પરિવાર પણ આવી શકે છે. આવું ન થાય એ માટે તેમના ફરતે એક શીલ્ડ ક્રીએટ કરવું જરૂરી છે. પરંપરાગત રીતે આ શીલ્ડ માદા કૂતરા સાથે વિવાહ કરવાથી મજબૂત બને છે એવી સદીઓ જૂની માન્યતા છે. ગામલોકોનું માનવું છે કે અશુભ દોષનો નાશ કરવા માટે બાળકનાં માદા કૂતરા સાથે લગ્ન કરાવવામાં આવે તો એ ખરાબ દોષ ઊતરી જાય છે અને એ સંકટ કૂતરી પર ટ્રાન્સફર થઈ જાય છે. આ લગ્ન ભલે પ્રતીકાત્મક હોય, પરંતુ એમાં ધામધૂમ અને વિધિઓ બધી જ અસલ લગ્ન જેવી હોય છે. જાન નીકળે છે, વાજિંત્રો વગાડીને ધામધૂમ અને નાચગાન થાય છે અને સગાંસંબંધીઓ અને ગામને એમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે. આ કૂતરી એ પછી તેમના ઘરે જ રહે છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 11:29 AM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK