Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Anshuman Gaekwad Passes Away : દિગ્ગજ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડની ચિર વિદાય, કેન્સર સામે હાર્યા જંગ

Anshuman Gaekwad Passes Away : દિગ્ગજ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડની ચિર વિદાય, કેન્સર સામે હાર્યા જંગ

Published : 01 August, 2024 07:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Anshuman Gaekwad Passes Away: તેઓ છેલ્લા ઘણા સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા. આખરે તેઓ આ લાંબી લડાઈ બાદ કેન્સર સામેની જંગ હારી ગયાં છે.

અંશુમાન ગાયકવાડની ફાઇલ તસવીર

અંશુમાન ગાયકવાડની ફાઇલ તસવીર


ભારતીય ટીમનાં પૂર્વ ખેલાડી અંશુમન ગાયકવાડનું નિધન (Anshuman Gaekwad Passes Away) થયું છે. તેઓએ ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી. અંશુમાન ગાયકવાડ છેલ્લા ઘણા સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા. આખરે તેઓ આ લાંબી લડાઈ બાદ કેન્સર સામેની જંગ હારી ગયાં અને 71 વર્ષની વયે તેમનું નિધન થયું છે. 


અંશુમાન ગાયકવાડની 12 વર્ષની કારકિર્દી પર એક નજર કરીએ તો ખ્યાલ આવે છે કે તેઓએ 40 ટેસ્ટ અને 15 ODI મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં તેઓએ ૨ સેન્ચ્યુરીની મદદથી 2254 રન બનાવ્યા હતા અને 1983માં જલંધરમાં પાકિસ્તાન સામે 201 રનનો હાઇ સ્કોર પણ બનાવ્યો હતો.



તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ BCCI સેક્રેટરી જય શાહે ગાયકવાડની સ્વાસ્થ્ય મદદ માટે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. શાહે ગાયકવાડના પરિવારનો સંપર્ક કરીને આ પડકારજનક સમયમાં તેમને આશ્વાસન આપ્યું હતું. હવે જ્યારે અંશુમાન ગાયકવાડનું નિધન (Anshuman Gaekwad Passes Away) થયું છે ત્યારે ભારતીય ક્રિકેટ ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


1975ના વર્લ્ડ કપમાં ક્રિકેટમાં કર્યું હતું ડેબ્યૂ 

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડે 1975ના વર્લ્ડ કપમાં ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ અંશુમાનની ડેબ્યૂ મેચ હતી. તે મેચમાં અંશુમને 46 બોલમાં 22 રન બનાવ્યા હતા. સુનીલ ગાવસ્કર તે મેચમાં 174 બોલમાં 36 રન બનાવ્યા બાદ અણનમ રહ્યા હતા.


કોચ તરીકે પણ કર્યું હતું કામ 

પોતાની કારકિર્દી દરમિયાન અંશુમાન ગાયકવાડે બે વખત ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે કામ કર્યું હતું. તેમના કોચિંગ હેઠળ ભારત 2000ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ રનર-અપ થયું હતું. જ્યારે તેઓ કોચ હતા ત્યારે અનિલ કુંબલેએ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટેસ્ટ ઇનિંગ્સમાં 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

જય શાહે વ્યક્ત કર્યો શોક 

અંશુમાન ગાયકવાડની વસમી વિદાય (Anshuman Gaekwad Passes Away) બાદ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના સેક્રેટરી જય શાહે એક્સ પરની પોસ્ટમાં લખ્યું હતું કે, "શ્રી અંશુમાન ગાયકવાડના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. સમગ્ર ક્રિકેટ જગત માટે શોકના સમાચાર છે. તેમની આત્માને શાંતિ મળે એ જ પ્રાર્થના”

PM નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર સંવેદના વ્યક્ત કરી

PM નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, "શ્રી અંશુમાન ગાયકવાડ જીને ક્રિકેટમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેઓ એક હોશિયાર ખેલાડી અને ઉત્કૃષ્ટ કોચ હતા. તેમના નિધન (Anshuman Gaekwad Passes Away)થી દુખ વ્યક્ત કરું છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના છે.  ઓમ શાંતિ"

તમને જણાવી દઈએ કે અંશુમન ગાયકવાડે 22 વર્ષની પોતાની કારકિર્દીમાં 205 ફર્સ્ટ ક્લાસ મેચો પણ રમી છે. એવા આ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ડીકે ગાયકવાડના પુત્ર ગાયકવાડની લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી. આ સારવાર દરમિયાન તેમણે આ જગતમાંથી વિદાય લીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

01 August, 2024 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK