Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શાસનસુરક્ષા માટે જૈનોને હાકલ : આજે સવારે વિલે પાર્લેમાં વિરાટ જાગરણ સભા

શાસનસુરક્ષા માટે જૈનોને હાકલ : આજે સવારે વિલે પાર્લેમાં વિરાટ જાગરણ સભા

Published : 01 June, 2025 07:16 AM | Modified : 02 June, 2025 06:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સભા વિલે પાર્લે-ઈસ્ટમાં એમ.જી. રોડ પર આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન દેરાસરમાં સવારે ૯.૩૦થી ૧૧.૩૦ વાગ્યા સુધી યોજાશે.

પુંડરિક રત્ન સૂરીશ્વરજી મહારાજસાહેબ (ડાબે) અને બારડોલીમાં અભિનંદન મુનિ

પુંડરિક રત્ન સૂરીશ્વરજી મહારાજસાહેબ (ડાબે) અને બારડોલીમાં અભિનંદન મુનિ


રાજસ્થાનમાં જૈનાચાર્ય પુંડરિક રત્ન સૂરીશ્વરજી મહારાજસાહેબ (ડાબે) અને બારડોલીમાં અભિનંદન મુનિ રોડ-અકસ્માતમાં કાળધર્મ પામ્યા એ માત્ર દુર્ઘટના નથી પણ જૈન શાસનના કાળજા પરનો કુઠારાઘાત છે એવી ભાવના વ્યક્ત કરીને આજે સવારે વિલે પાર્લે-ઈસ્ટમાં વિરાટ જાગરણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા આયોજિત આ સભામાં તમામ શાસનપ્રેમીઓને શાસનસુરક્ષા માટે ઉપસ્થિત રહેવાની હાકલ કરવામાં આવી છે. આ સભા વિલે પાર્લે-ઈસ્ટમાં એમ.જી. રોડ પર આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન દેરાસરમાં સવારે ૯.૩૦થી ૧૧.૩૦ વાગ્યા સુધી યોજાશે. આ સભામાં મુંબઈસ્થિત સર્વ સમુદાયના અનેક પૂજ્ય ગુરુભગવંતોની શુભ નિશ્રા રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK