બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ તમીમ ઇકબાલે ગુરુવારે બંગલાદેશ પ્રીમિયર લીગ (BPL) વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું. તમીમ ઇકબાલે આ વર્ષે બંગલાદેશ પ્રીમિયર લીગ નહીં યોજાશે એવા સંકેત આપ્યા છે.
તમિમ ઇકબાલ
બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ તમીમ ઇકબાલે ગુરુવારે બંગલાદેશ પ્રીમિયર લીગ (BPL) વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું. તમીમ ઇકબાલે આ વર્ષે બંગલાદેશ પ્રીમિયર લીગ નહીં યોજાશે એવા સંકેત આપ્યા છે.
તમીમ ઇકબાલ કહે છે, ‘બંગલાદેશ ક્રિકેટ બોર્ડને છેલ્લાં બે વર્ષમાં ટુર્નામેન્ટમાંથી આશરે ૪૦ કરોડ બંગલાદેશી ટાકાનું નુકસાન થયું છે. ફ્રૅન્ચાઇઝી ક્રિકેટમાંથી આપણું બોર્ડ પૈસા કમાતું હોવું જોઈએ. જોકે અહીં નુકસાન જ થઈ રહ્યું છે. આનો અર્થ એ થાય કે કંઈક ખોટું છે. જ્યાં સુધી આપણે આ મુદ્દાઓને સુધારી ન લઈએ ત્યાં સુધી આપણા માટે દર વર્ષે આ ઇવેન્ટનું આયોજન કરવું જરૂરી નથી. મને નથી લાગતું કે BPL આ વર્ષે યોજાશે.’
૨૦૧૨થી બંગલાદેશ પ્રીમિયર લીગની ૧૨ સીઝન રમાઈ ચૂકી છે અને આ વર્ષે ડિસેમ્બરમાં લીગની આગામી સીઝનનું આયોજન કરવાની યોજના હતી. અગાઉ ૨૦૧૪માં પોલિટિકલ ક્રાઇસિસ અને ૨૦૨૦-’૨૧માં કોરોના મહામારીને કારણે આ લીગ રમાઈ નહોતી.
