Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આઇપીએલના નવા શેડ્યુલ સામે આઇસીસીએ ઊઠાવ્યો વાંધો

આઇપીએલના નવા શેડ્યુલ સામે આઇસીસીએ ઊઠાવ્યો વાંધો

09 June, 2021 03:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલ ૧૯ સપ્ટેમ્બરે શરૂ કરીને ૧૫ ઑક્ટોબરે દશેરાના દિવસે સમાપ્ત કરવાની યોજના બનાવી છે.

આઈપીએલ ટ્રોફી - તસવીર સૌજન્ય- મિડ-ડે

આઈપીએલ ટ્રોફી - તસવીર સૌજન્ય- મિડ-ડે


ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલ ૧૯ સપ્ટેમ્બરે શરૂ કરીને ૧૫ ઑક્ટોબરે દશેરાના દિવસે સમાપ્ત કરવાની યોજના બનાવી છે. જોકે આઇસીસીને આ શેડ્યુલ સામે વાંધો છે. આઇસીસી ૧૮ ઑક્ટોબરથી ટી૨૦ વર્લ્ડ કપ શરૂ કરવાનું વિચારી રહી છે આથી માત્ર ત્રણ જ દિવસ પહેલાં આઇપીએલ પૂરી થાય એ તેમને મંજૂર નથી. 

એક સ્પોર્ટ્સ વેબસાઇટમાં છપાયેલા સમાચાર પ્રમાણે આઇસીસીનાં સૂત્રોએ તેમને જણાવ્યું હતું કે ‘ટી૨૦ વર્લ્ડ કપ ૧૮ ઑક્ટોબરથી શરૂ થવાનો છે તો આવી સ્થિતિમાં આઇપીએલ ૧૫ ઑક્ટોબર સુધી કેવી રીતે ચાલી શકે. આઇસીસી આને માટે મંજૂરી નહીં આપે. એ ઉપરાંત ટી૨૦ વર્લ્ડ કપમાં રમનાર ટીમ તેમના ખેલાડીઓને પણ આઇપીએલમાં રમવાની પરવાનગી કેવી રીતે આપશે? અમને લાગે છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલને ૧૦ ઑક્ટોબર સુધીમાં પૂરી કરી નાખવી જોઈએ.’



આમ હવે આઇસીસીની નારાજગીના સમાચારથી ભારતીય ક્રિકેટ બોર્ડની મુશ્કેલી વધી ગઈ છે. હવે એ રસપ્રદ બની રહેશે કે ભારતીય ક્રિકેટ બોર્ડ ફરી આઇપીએલનું શેડ્યુલ બદલે છે કે પછી આઇસીસી આઇપીએલ માટે ટી૨૦ વર્લ્ડ કપ થોડો મોડો શરૂ કરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2021 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK