Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હૈદરાબાદ ફેક બોલિંગના આધારે ટકી નહીં શકશે, હારવાથી બચવા બૅટર્સે ૪૦૦ રન કરવા પડશે : શ્રીકાન્ત

હૈદરાબાદ ફેક બોલિંગના આધારે ટકી નહીં શકશે, હારવાથી બચવા બૅટર્સે ૪૦૦ રન કરવા પડશે : શ્રીકાન્ત

Published : 30 March, 2026 04:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીકાન્તે કહ્યું હતું કે ‘જો તમે હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટ જેવા ખેલાડીઓને મુખ્ય બોલરો તરીકે રમાડશો તો ફક્ત ભગવાન જ તમને બચાવી શકે છે. તેઓ આ નકલી બોલિંગથી કેટલો સમય ટકી શકશે? છેવટે તમારે કેટલાક સારા બોલરોની જરૂર છે.

ક્રિષ્નામાચારી શ્રીકાન્ત

ક્રિષ્નામાચારી શ્રીકાન્ત


ભારતના ભૂતપૂર્વ ઓપનર ક્રિષ્નામાચારી શ્રીકાન્તે IPL 2026ની ઓપનિંગ મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બોલિંગ-પ્રદર્શનની જબરી ટીકા કરી છે. ૨૦૨ રનના ટાર્ગેટને હૈદરાબાદ ડિફેન્ડ કરી શકી નહોતી અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન બૅન્ગલોરે ૧૫.૪ ઓવરમાં ફાસ્ટેસ્ટ ૨૦૦ પ્લસનો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકૉર્ડ કરી દીધો હતો. 

શ્રીકાન્તે કહ્યું હતું કે ‘જો તમે હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટ જેવા ખેલાડીઓને મુખ્ય બોલરો તરીકે રમાડશો તો ફક્ત ભગવાન જ તમને બચાવી શકે છે. તેઓ આ નકલી બોલિંગથી કેટલો સમય ટકી શકશે? છેવટે તમારે કેટલાક સારા બોલરોની જરૂર છે. આ ફક્ત એક મૅચ પર આધારિત નિર્ણય નથી. આવી બોલિંગ અને બોલર્સ સાથે હૈદરાબાદ નહીં ટકી શકશે. આવી નબળી બોલિંગને કારણે તેમના બૅટર્સે મૅચ જીતવા પહેલાં ૪૦૦ રન બનાવવાની જરૂર પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK