Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટ ત્રણ-ચાર વર્ષ વધુ રમી શક્યો હોત, તેને ટીમનું બદલાયેલું વાતાવરણ કદાચ ગમ્યું નહીં હોય : મનોજ તિવારી

વિરાટ ત્રણ-ચાર વર્ષ વધુ રમી શક્યો હોત, તેને ટીમનું બદલાયેલું વાતાવરણ કદાચ ગમ્યું નહીં હોય : મનોજ તિવારી

Published : 27 August, 2025 06:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મને લાગે છે કે તે ક્યારેય જાહેર પ્લૅટફૉર્મ પર આનો ખુલાસો કરશે નહીં. ભગવાને તેને જે આપ્યું છે એનાથી તે ખૂબ ખુશ છે

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારી

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારી


ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ વિરાટ કોહલીના ટેસ્ટ-રિટાયરમેન્ટ વિશે મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું કે ‘વિરાટ ઓછામાં ઓછાં ત્રણ-ચાર વર્ષ વધુ સરળતાથી રમી શક્યો હોત. મારા સહિત બધા ક્રિકેટચાહકો માટે તે ખૂબ જ આશ્ચર્યજનક અને આઘાતજનક હતું, કારણ કે આપણે બધા જાણતા હતા કે તે શારીરિક રીતે કેટલો ફિટ છે અને ઇંગ્લેન્ડ ટેસ્ટ-સિરીઝ માટે પોતાને તૈયાર કરી રહ્યો હતો.’


તેણે વધુમાં કહ્યું કે ‘મને લાગે છે કે તેને એવું લાગ્યું નહોતું કે ટીમ ઇન્ડિયામાં તેની જરૂર છે. એ વિશે તો ફક્ત તે જ કહી શકે છે. મને લાગે છે કે તે ક્યારેય જાહેર પ્લૅટફૉર્મ પર આનો ખુલાસો કરશે નહીં. ભગવાને તેને જે આપ્યું છે એનાથી તે ખૂબ ખુશ છે. તે આધ્યાત્મિક પણ બની રહ્યો છે. તેને એ (હેડ કોચ ગૌતમ ગંભીરના આવ્યા બાદનું) વાતાવરણ ગમ્યું નહીં હશે જેમાં તે રમી રહ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK