Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતની T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં સ્થાન ન મેળવી શકનાર મોહમ્મદ સિરાજે કહ્યું...

ભારતની T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં સ્થાન ન મેળવી શકનાર મોહમ્મદ સિરાજે કહ્યું...

Published : 19 January, 2026 02:11 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્તમાન ટીમ કાગળ પર અને ફૉર્મમાં પણ ખૂબ સારી છે, મારી શુભેચ્છાઓ તેમની સાથે છે, ટ્રોફી અહીં જ રાખજો

મોહમ્મદ સિરાજ

મોહમ્મદ સિરાજ


મોહમ્મદ સિરાજ ભારતની 2024 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો, પરંતુ તેને આવતા મહિને શરૂ થનારા વર્લ્ડ કપની ભારતીય ટીમમાં સ્થાન નથી મળ્યું. મોહમ્મદ સિરાજ ટેસ્ટ-ફૉર્મેટમાં નિયમિત છે અને વન-ડે ટીમમાં અંદર-બહાર રહ્યો છે, જ્યારે T20 સેટઅપમાં તેનું સ્થાન અનિશ્ચિત રહ્યું છે.
T20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થવા વિશે પહેલી વખત મૌન તોડતાં તેણે કહ્યું હતું કે ‘હું છેલ્લો T20 વર્લ્ડ કપ રમ્યો હતો અને આ વખતે નથી રમવાનો. એક ખેલાડી માટે વર્લ્ડ કપમાં દેશ માટે રમવું એ એક અલગ સ્વપ્ન છે. વર્તમાન ટીમ કાગળ પર અને ફૉર્મમાં ખૂબ સારી છે. મારી શુભેચ્છાઓ તેમની સાથે છે. ટ્રોફી અહીં જ આપણી પાસે રાખજો.’
૩૧ વર્ષનો મોહમ્મદ સિરાજ જુલાઈ ૨૦૨૪માં છેલ્લી વખત ભારત તરફથી T20 મૅચ રમ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 January, 2026 02:11 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK