Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝનું રિઝલ્ટ ગમે તે હોય, શુભમનને જ ત્રણ વર્ષ માટે ટીમમાં રાખો : શાસ્ત્રી

ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝનું રિઝલ્ટ ગમે તે હોય, શુભમનને જ ત્રણ વર્ષ માટે ટીમમાં રાખો : શાસ્ત્રી

Published : 30 June, 2025 10:15 AM | Modified : 01 July, 2025 06:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ગમે એ થાય, તેનામાં કોઈ ફેરફાર કરશો નહીં. ત્રણ વર્ષ સુધી તેની સાથે રહો અને મને લાગે છે કે તે તમારા માટે સારું કરશે

રવિ શાસ્ત્રી, શુભમન ગિલ

રવિ શાસ્ત્રી, શુભમન ગિલ


ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલને જોરદાર સમર્થન આપ્યું છે. તે કહે છે કે ‘શુભમન ગિલ ઘણો પરિપક્વ થઈ ગયો છે. તેને ત્રણ વર્ષ સુધી ટીમમાં રહેવા દો. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ગમે એ થાય, તેનામાં કોઈ ફેરફાર કરશો નહીં. ત્રણ વર્ષ સુધી તેની સાથે રહો અને મને લાગે છે કે તે તમારા માટે સારું કરશે.’


WTC ફાઇનલના વેન્યુ વિશે શું કહ્યું?



વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ત્રણેય સીઝનની ફાઇનલ મૅચ હમણાં સુધી ઇંગ્લૅન્ડમાં જ રમાઈ છે. એના વિશે વાત કરતાં રવિ કહે છે કે ‘મને લાગે છે કે શરૂઆતમાં ફાઇનલ મૅચ અહીં (ઇંગ્લૅન્ડમાં) હોય તો સારું છે, પણ ટુર્નામેન્ટને લોકપ્રિયતા અને પ્રશંસા મળે પછી એને બદલવાનું શરૂ કરી શકાય છે. મને લાગે છે કે ઑસ્ટ્રેલિયાનું મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ અને અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ ફાઇનલ-મૅચ માટે બેસ્ટ વેન્યુ બની શકે છે. મૂળભૂત રીતે એવી જગ્યાઓ જ્યાં તમે ભીડ ખેંચી શકો છો.’


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK