Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સચિને પપ્પાના વારસાને માન આપવા પ્રોફેસર રમેશ તેન્ડુલકર મેમોરિયલ ફેલોશિપ શરૂ કરી

સચિને પપ્પાના વારસાને માન આપવા પ્રોફેસર રમેશ તેન્ડુલકર મેમોરિયલ ફેલોશિપ શરૂ કરી

Published : 06 September, 2026 09:44 AM | Modified : 06 September, 2026 09:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સચિન તેન્ડુલકરે પિતા રમેશ તેન્ડુલકરની સ્મૃતિમાં મેમોરિયલ ફેલોશિપ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે રમતગમત, આરોગ્યસંભાળ અને શિક્ષણમાં બાળકોને સમાન તકો આપશે.

સચિન તેન્ડુલકરે પત્ની અને પપ્પા સાથેનો આ જૂનો ફોટો શૅર કર્યો હતો.

સચિન તેન્ડુલકરે પત્ની અને પપ્પા સાથેનો આ જૂનો ફોટો શૅર કર્યો હતો.


ગઈ કાલે નૅશનલ ટીચર્સ ડેના અવસરે સચિન તેન્ડુલકરે મોટી જાહેરાત કરી હતી. સચિને પોતાના દિવંગત પપ્પાના પ્રોફેસર, લેખક, કવિ અને માર્ગદર્શક તરીકેના વારસાને માન આપવા માટે ‘પ્રોફેસર રમેશ તેન્ડુલકર મેમોરિયલ ફેલોશિપ’ શરૂ કરવાની જાહેરાત કરી છે.
૧૯૯૯માં ૧૯ મેએ સચિનના પપ્પા રમેશ તેન્ડુલકરનું હાર્ટ-અટૅકથી અવસાન થયું હતું. સચિન તેન્ડુલકરે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘સમગ્ર ભારતમાં અપાર ક્ષમતા ધરાવતાં બાળકો છે જેમને ક્યારેય એ ક્ષમતાને સાકાર કરવાની તક મળી શકતી નથી. ફક્ત એટલા માટે કે તેમની પાસે કોચ, માર્ગદર્શક, અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ અથવા તો મૂળભૂત આરોગ્યસંભાળની સુવિધાનો અભાવ છે. અમારો દૃષ્ટિકોણ તેમને રમતગમત, આરોગ્યસંભાળ અને શિક્ષણમાં સમાન તકો પૂરી પાડવાનો છે અને તેમને સાબિત કરવાની તક આપવાનો છે કે તેઓ પણ સમાજના મહત્ત્વપૂર્ણ સભ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK