Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારે પડી રહ્યો છે બ્રાહ્મણ વિવાદ અનુરાગ કશ્યપને

ભારે પડી રહ્યો છે બ્રાહ્મણ વિવાદ અનુરાગ કશ્યપને

Published : 26 April, 2025 08:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મુદ્દે સુરતની કોર્ટે નોટિસ ફટકારીને તેમને ૬ મેએ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો

અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ


ફિલ્મમેકર અનુરાગ કશ્યપે બ્રાહ્મણો વિરુદ્ધ કરેલી અણછાજતી કમેન્ટને કારણે તે વિવાદમાં સપડાયો છે. તેણે જાહેરમાં આ મામલે બ્રાહ્મણ સમાજની માફી માગી લીધી હોવા છતાં વિવાદની આગ ઠંડી પડવાનું નામ નથી લેતી. આ મામલામાં અનુરાગ વિરુદ્ધ ઇન્દોર, મુંબઈ, દિલ્હી અને જયપુર સહિત ઘણાં શહેરોમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે હવે સુરત કોર્ટે પણ ફિલ્મમેકરને નોટિસ ફટકારી છે અને ૭ મેએ હાજર રહેવાનો આદેશ આપ્યો છે.


સુરત કોર્ટે ઍડ્વોકેટ કમલેશ રાવલની ફરિયાદ પર નોટિસ ઇશ્યુ કરી છે. કમલેશ રાવલે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા અને વેરિફિકેશન પૂર્ણ થયા બાદ હવે અનુરાગ કશ્યપને ઈ-મેઇલ અને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા નોટિસ મોકલાવાઈ છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2025 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK