Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભગવાન રામના રોલમાં રણબીર સારો લાગે છે

ભગવાન રામના રોલમાં રણબીર સારો લાગે છે

Published : 05 February, 2026 12:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામનો રોલ ભજવીને લોકપ્રિયતા મેળવનાર અરુણ ગોવિલે ઍક્ટરને આપી લીલી ઝંડી

અરુણ ગોવિલે રણબીર કપૂરને આપી લીલી ઝંડી

અરુણ ગોવિલે રણબીર કપૂરને આપી લીલી ઝંડી


અરુણ ગોવિલે ટીવીના પડદે રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં ભગવાન રામનું પાત્ર ભજવીને જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે નિતેશ તિવારીની ‘રામાયણ’ અને ‘આદિપુરુષ’ની થઈ રહેલી તુલના વિશે પોતાનો મત વ્યક્ત કર્યો છે.

આ વાતચીત દરમ્યાન અરુણ ગોવિલે કહ્યું હતું કે ‘‘રામાયણ’ની ‘આદિપુરુષ’ સાથે તુલના ન કરવી જોઈએ. દરેક નવું રૂપાંતરણ અલગ હોય છે, તેથી એનાં અલગ પાસાંઓને સમજવાં જોઈએ.



‘રામાયણ’ ફિલ્મની વાત કરું તો આ ફિલ્મ ખૂબ સારી લાગી રહી છે અને ટીમ ઘણી મહેનત પણ કરી રહી છે. રણબીર માત્ર એક સારો ઍક્ટર જ નથી, એક સારો માણસ પણ છે અને આ ગુણ સ્ક્રીન પર ભગવાન જેવા પાત્રને વિશ્વાસપૂર્વક ભજવવા માટે જરૂરી છે. મને લાગે છે કે ભગવાનનો રોલ ભજવવા માટે તમારો દેખાવ એવો હોવો જોઈએ કે જ્યારે લોકો તમને જુએ ત્યારે તેમને તમારામાં ભગવાન દેખાય અને તેઓ વિચારે કે ભગવાન આવા હોઈ શકે છે. આ ખૂબ જ મહત્ત્વનું છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2026 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK