Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નૅશનલ અવૉર્ડ વિશ્વસનીયતા ગુમાવી રહ્યો છે

નૅશનલ અવૉર્ડ વિશ્વસનીયતા ગુમાવી રહ્યો છે

Published : 16 September, 2025 10:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મનોજ બાજપાઈએ લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે મારે માટે અવૉર્ડ-ફંક્શનનો વિચાર જ ખોટો છે

મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈ


હાલમાં શાહરુખ ખાન તેની ફિલ્મ ‘જવાન’ માટે નૅશનલ અવૉર્ડ જીત્યો છે. એ સમયે અનેક લોકોએ કમેન્ટ કરી હતી કે શાહરુખને બદલે મનોજ બાજપાઈને ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ માટે નૅશનલ અવૉર્ડ મળવો જોઈતો હતો. હવે આ ચર્ચા વિશે મનોજ બાજપાઈએ પ્રતિભાવ આપતાં કહ્યું છે કે ‘આ એક નકામી વાતચીત છે, કારણ કે આ વાત હવે સમાપ્ત થઈ ગઈ છે. હું આ બાબતની ચર્ચા નથી કરતો. આ ભૂતકાળની વાત છે અને એને આમ જ છોડી દેવી જોઈએ. હકીકતમાં નૅશનલ અવૉર્ડ્સ સહિત ઘણા પુરસ્કારો કમર્શિયલ આકર્ષણના ચક્કરમાં પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યા છે. તેમણે ગંભીરતાથી વિચારવું જોઈએ કે તેઓ કઈ રીતે કામ કરી રહ્યા છે. દરેક સંસ્થાએ પોતાના વિશે વિચારવું પડે છે અને આ મારું કામ નથી. મને લાગે છે કે મારા માટે અવૉર્ડ-ફંક્શનનો વિચાર જ ખોટો છે.’


મનોજ બાજપાઈને અત્યાર સુધી ‘સત્યા’, ‘પિંજર’, ‘અલીગઢ’ અને ‘ભોસલે’ માટે  ચાર વખત નૅશનલ અવૉર્ડ મળી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2025 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK