Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > થોડા સમય માટે નેગેટિવ રોલમાંથી બ્રેક લેવા માગે છે સૈફ અલી ખાન

થોડા સમય માટે નેગેટિવ રોલમાંથી બ્રેક લેવા માગે છે સૈફ અલી ખાન

Published : 13 September, 2026 02:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૈફ અલી ખાને કહ્યું કે હવે તે નેગેટિવ રોલથી થોડા સમય માટે બ્રેક લઈને હીરોની ભૂમિકાઓ કરવા માગે છે. ‘હૈવાન’માં અંધ વ્યક્તિનું પાત્ર તેમના માટે પડકારજનક હતું અને તેને રિયલ બનાવવા ખાસ મહેનત કરી હોવાનું તેણે જણાવ્યું.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન


છેલ્લા કેટલાક સમયથી ‘તાનાજી’માં ઉદયભાન, ‘આદિપુરુષ’માં લંકેશ અને ‘દેવરા 1’માં ભૈરવા જેવા નેગેટિવ રોલ કરીને ચર્ચામાં રહેનારો સૈફ અલી ખાન હવે થોડા સમય માટે આવા રોલમાંથી બ્રેક લેવા ઇચ્છે છે. પોતાના આ પ્લાનિંગ વિશે વાત કરતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘હું હમણાં નેગેટિવ રોલથી થોડો બ્રેક લેવા માગું છું. ત્યારે હું એક અભિનેતા તરીકે આવાં પાત્રોને એક્સપ્લોર કરવા માગતો હતો, પણ હવે થોડા સમય માટે હીરોની ભૂમિકાઓ જ કરવા માગીશ. મેં અત્યાર સુધી મોટા ભાગના જે રોલ કર્યા છે તેમના પ્રત્યે સહાનુભૂતિ થતી નથી. તેઓ કાં તો મજબૂત છે, કાં તો પ્રિવિલેજ્ડ છે અથવા નેગેટિવ છે એટલે તેમના માટે દુઃખ થતું નથી. ‘હૈવાન’ના મારા અંધ વ્યક્તિના આ પાત્ર માટે તમારા મનમાંથી આહ નીકળે છે જે મારા માટે ખૂબ અલગ અને નવી વાત હતી અને મેં આ જ ઇમોશનને પાત્રમાં ઉતાર્યું છે. જોકે અંધ વ્યક્તિની ભૂમિકા ભજવવી ખૂબ પડકારજનક હતી. ઉપરથી તે બાળકોને મ્યુઝિક, માર્શલ આર્ટ અને રેસલિંગ પણ શીખવે છે એટલે મને ચિંતા હતી કે પાત્ર નકલી ન લાગે. આ પાત્ર રિયલ લાગે એ માટે મેં વિશેષ મહેનત કરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK