Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sanjay Kapur Death: કરિશ્મા કપૂરના એક્સ-હસબન્ડ સંજય કપૂરનું નિધન- પોલો રમતાં આવ્યો હાર્ટઅટૅક

Sanjay Kapur Death: કરિશ્મા કપૂરના એક્સ-હસબન્ડ સંજય કપૂરનું નિધન- પોલો રમતાં આવ્યો હાર્ટઅટૅક

Published : 13 June, 2025 07:43 AM | Modified : 14 June, 2025 07:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Sanjay Kapur Death:_ઇંગ્લેન્ડના ગાર્ડ્સ પોલો ક્લબમાં તે પોલો રમી રહ્યા હતા. દરમિયાન અચાનકથી સંજય કપૂર નીચે ઢળી પડ્યો હતો

કરિશ્મા કપૂર અને સંજય કપૂર

કરિશ્મા કપૂર અને સંજય કપૂર


ગઇકાલે અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા. તો બીજી બાજુ સિનેજગતમાંથી પણ દુઃખદ સમાચાર મળી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને બિઝનેસમેન સંજય કપૂરનું ૫૩ વર્ષની વયે નિધન (Sanjay Kapur Death) થયું છે. 


પ્રાપ્ત અહેવાલો અનુસાર ઇંગ્લેન્ડના ગાર્ડ્સ પોલો ક્લબમાં તે પોલો રમી રહ્યા હતા. તે દરમિયાન અચાનકથી સંજય કપૂર નીચે ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આમ, અચાનક એક્ઝિટ લેવાથી તેમના પરિવાર, મિત્રો અને ચાહકો ભારે આઘાતમાં મુકાયા છે. 



બિઝનેસમેન તેમજ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગુરુવારે રાત્રે અવસાન (Sanjay Kapur Death) થયું હતું. અહેવાલો અનુસાર પોલો રમતી વખતે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ગઇકાલે જે અમદાવાદમાં કરુણાંતિકા બની તે બદલ સંજય કપૂર દ્વારા પોસ્ટ પણ મૂકવામાં આવી હતી. એક્સ પર સંજયની છેલ્લી પોસ્ટ જોવા મળી હતી. જે 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાના વિમાન ક્રેશની દુર્ઘટના બાબતે હતી. પોતાની પોસ્ટમાં સંબજી કપૂરે લખ્યું હતું કે- "અમદાવાદમાં એર ઇન્ડિયા ક્રેશની દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળ્યા. મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ તે તમામ અસરગ્રસ્ત પરિવારો સાથે છે. આ મુશ્કેલ સમયમાં તેમને પ્રભુ શક્તિ આપે એ જ પ્રાર્થના."


કરિશ્મા કપૂર અને સંજય કપૂરના ક્યારે લગ્ન થયા હતા?

કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન 2003માં થયા હતા. પરંતુ આ સબંધ બહુ લાંબો સમય સુધી ટક્યો નહોતો. વર્ષ 2014માં બંનેએ ડિવોર્સ લઈ લીધા હતા. જાણીતા બિઝનેસમેન અને અભિનેતા સંજય કપૂરને બે બાળકો છે. પુત્રીનું નામ સમાયરા અને પુત્રનું નામ કિયાન છે. છૂટાછેડા વખતે કરિશ્માએ સંજય કપૂર સામે માનસિક અને ભાવનાત્મક દુર્વ્યવહાર સહિત અનેક ગંભીર આક્ષેપો મૂક્યા હતા. સંજય કપૂરએ ત્યારબાદ પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા.


Sanjay Kapur Death: કરિશ્મા 2010માં દિલ્હીમાં પોતાનું ઘર છોડીને મુંબઈ આવી ગઈ હતી, જ્યારે તેના નાના પુત્ર કિયાનનો જન્મ થયો હતો. 2014માં, બંનેએ તેમના લગ્નનો અંત લાવવાનો નિર્ણય કર્યો અને છૂટાછેડા માટે અરજી કરી. છૂટાછેડા બાદ કરિશ્માનાં બંને બાળકો તેના પિતા સંજય કપૂર અને તેમની બીજી પત્ની પ્રિયા સચદેવ સાથે અનેકવાર વેકેશન પર જોવા મળતા હતા. ઘણીવાર તેઓની એકસાથે દિવાળી ઉજવણીની પણ તસવીરો સામે આવતી હતી. 

સંજય સાથે પ્રિયાના આ બીજા લગ્ન હતા અને તેણે પહેલા વિક્રમ ચટવાલ સાથે લગ્ન કર્યા હતા. પહેલાં લગ્નથી તેને એક પુત્રી સફાયરા છે. તેમ જ સંજય અને પ્રિયાને અઝારિયસ નામનો પુત્ર છે. સંજય કપૂરની આમ અણધારી ઍક્ઝિટ (Sanjay Kapur Death)થી તેમના મિત્રો અને સહયોગીઓ આઘાતમાં છે.

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK