Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નથી બનવાની 3 ઇડિયટ્સની સીક્વલ

નથી બનવાની 3 ઇડિયટ્સની સીક્વલ

Published : 30 December, 2025 10:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમિર ખાને આ વાત કન્ફર્મ કરીને કહ્યું કે આ મામલે હજી સુધી મારો કોઈ જ સંપર્ક કરવામાં નથી આવ્યો

`3 ઇડિયટ્સ`નો એક સીન

`3 ઇડિયટ્સ`નો એક સીન


થોડા સમય પહેલાં ચર્ચા હતી કે આમિર ખાન, આર. માધવન અને શર્મન જોશીની સુપરહિટ ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ની સીક્વલ ‘ફોર ઇડિયટ્સ’ના નામે બની રહી છે. જોકે લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ ‘3 ઇડિયટ્સ’ની સીક્વલ બનવાની વાત ખોટી છે અને આ વાત આર. માધવન અને આમિર ખાને કન્ફર્મ કરી છે. આ મામલે વાત કરતાં આર. માધવને કહ્યું છે, ‘3 ઇડિયટ્સ’ની સીક્વલની વાત સાંભળવામાં તો અદ્ભુત લાગે છે, પરંતુ હવે અમે એમાં કઇ રીતે ફિટ થઇએ? હું, આમિર અને શર્મન તો ઘણી ઉંમરના થઈ ગયા છીએ, એટલે આ સીક્વલમાં ફિટ નહીં બેસીએ અને મારી પાસે આવી કોઈ ઑફર પણ નથી આવી.’

‘3 ઇડિયટ્સ’ની સીક્વલ વિશે વાત કરતાં આમિરે કહ્યું હતું કે મને આ સીક્વલમાં કરવાની ખૂબ મજા આવશે, પરંતુ હજી સુધી કોઈએ એના માટે મારો સંપર્ક નથી કર્યો એટલે હાલમાં તો આવી કોઈ સીક્વલ નથી બની રહી.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2025 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK