Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વરુણ ધવનને કઈ વાતનો અફસોસ છે?

વરુણ ધવનને કઈ વાતનો અફસોસ છે?

Published : 24 June, 2026 01:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરુણ ધવને એવી એક ફિલ્મ વિશે ખુલાસો કર્યો છે જેમાં કામ કરવાની તેણે ના પાડી દીધી હતી

વરુણ ધવન

વરુણ ધવન


વરુણ ધવને પોતાની કરીઅરમાં અનેક ફિલ્મો કરી છે પણ હાલમાં તેણે પોતાની એવી એક ફિલ્મ વિશે ખુલાસો કર્યો છે જેમાં કામ કરવાની તેણે ના પાડી દીધી હતી અને પછી આ ફિલ્મને સારી એવી સફળતા મળી હતી. આ ફિલ્મ હતી ‘અંધાધુન’ અને વરુણને આજે પણ આ ફિલ્મમાં કામ કરવા માટે ના પાડવાનો અફસોસ છે.

વરુણે પોતાની આ લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે મેં એક સારી ફિલ્મને ના પાડી હતી જે પછી ખૂબ જ ઉત્તમ ફિલ્મ બની અને એ ફિલ્મ હતી ‘અંધાધુન’. મને આ ફિલ્મ ઑફર થઈ હતી પણ એ સમયે હું બીજી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો તેથી હું આ ફિલ્મ કરી શક્યો નહોતો. ફિલ્મની મૂળ કાસ્ટમાં હું અને કંગના રનૌત હતાં. જોકે પછી આ રોલ આયુષ્યમાન ખુરાના અને તબુના ફાળે ગયા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK