Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આસામના પૂરપીડિતોને શરદ કેળકરે કરી આર્થિક સહાય

આસામના પૂરપીડિતોને શરદ કેળકરે કરી આર્થિક સહાય

Published : 09 August, 2026 08:15 AM | IST | Dispur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આસામમાં વિનાશક પૂરના કારણે અનેક લોકો મુશ્કેલીમાં છે ત્યારે અભિનેતા શરદ કેળકરે પૂરપીડિતોને આર્થિક સહાય આપી છે. તેમણે લોકોને પણ રાહત અને પુનર્વસનના પ્રયાસોમાં યોગદાન આપવા અપીલ કરી છે.

શરદ કેલકર

શરદ કેલકર


આસામમાં આવેલા વિનાશક પૂરને કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને પૂરપીડિતોને તાત્કાલિક મદદની જરૂર છે. આવી વિકટ પરિસ્થિતિમાં શરદ કેળકરે પણ પોતાના તરફથી મદદનો હાથ લંબાવ્યો છે અને તેણે પૂરપીડિતોને આર્થિક સહાય પૂરી પાડી છે.  આ સંજોગોમાં શરદ સહિત કેટલીક સેલિબ્રિટીઝ રાહતસામગ્રીનું વિતરણ કરી રહી છે, તો કેટલીક રાહતઅભિયાનના માધ્યમથી મદદ કરી રહી છે. હાલમાં આસામમાં ખોરાક, ગાદલાં, સ્વચ્છતા માટેની સામગ્રી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જેવી અનેક બાબતોની તાત્કાલિક જરૂરિયાત છે. શરદ કેળકર સહિત કેટલાક કલાકારો પરિસ્થિતિને થોડી હળવી કરવા માટે આગળ આવી રહ્યા છે. તેઓ લોકોને પણ રાહત અને પુનર્વસનના પ્રયાસોમાં યોગદાન આપવા તથા દાન કરવા અપીલ કરી રહ્યા છે. પૂરપીડિતોની મદદ માટેનું મિશન હજુ પૂરું થયું નથી, પણ રાહતકાર્ય માટેની પહેલ સતત આગળ વધી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 08:15 AM IST | Dispur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK