Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતમાં 2 વર્ષીય પુત્ર સાથે માતાએ 13માં માળેથી પડતું મૂક્યું, CCTVમાં દ્રશ્ય કેદ

સુરતમાં 2 વર્ષીય પુત્ર સાથે માતાએ 13માં માળેથી પડતું મૂક્યું, CCTVમાં દ્રશ્ય કેદ

Published : 04 September, 2025 04:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mother and Son Commit Suicide in Surat: સુરતમાં માર્તંડ હિલ્સ બિલ્ડિંગમાં રહેતા એક લૂમ ઉત્પાદકની પત્નીએ તેના બે વર્ષના પુત્ર સાથે આત્મહત્યા કરી છે. તેણે પહેલા તેના પુત્રને 13મા માળેથી ફેંકી દીધો હતો અને 12 સેકન્ડ પછી તે પણ ત્

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


સુરતના અલથાણ વિસ્તારમાં માર્તંડ હિલ્સ બિલ્ડિંગના A વિંગમાં રહેતા એક લૂમ ઉત્પાદકની પત્નીએ તેના બે વર્ષના પુત્ર સાથે આત્મહત્યા કરી છે. પત્ની A વિંગથી C વિંગમાં ગઈ હતી, જ્યાં તેણે પહેલા તેના પુત્રને 13મા માળેથી ફેંકી દીધો હતો અને 12 સેકન્ડ પછી તે પણ ત્યાંથી કૂદી પડી હતી.


આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. હાલમાં મામલતદાર અને ડૉક્ટરો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના પહેલા માતા અને પુત્ર 13મા માળે લિફ્ટમાં જતા દેખાતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.



માતા પૂજા તેના પુત્ર કૃષિવ સાથે કપડાંનું સટિચિંગ કામ કરવા માટે સી-વિંગના 13મા માળે જઈ રહી હતી. એવું લાગે છે કે માતા આત્મહત્યા કરવાના ઇરાદાથી ત્યાં પહોંચી હતી, કારણ કે જે ઘરમાં તે કપડાં સીવવા ગઈ હતી તેનો દરવાજો બંધ હતો, તેથી પૂજાએ તેના ઘરનો ડોરબેલ વગાડ્યો. પાછળથી, જ્યારે કોઈ આસપાસ ન હોવાનું જણાયું, તે તરત જ તેના પુત્ર કૃષિવને પોતાની સાથે લઈ ગઈ અને 13મા માળેથી કૂદીને આત્મહત્યા કરી, સૂત્રોએ જણાવ્યું.


નવી સિવિલ હૉસ્પિટલમાંથી મળેલી માહિતી અનુસાર, મૂળ મહેસાણાના વતની અને હાલમાં અલથાણ વિસ્તારમાં માર્તંડ હિલ્સ બિલ્ડિંગના છઠ્ઠા માળે રહેતા વિલેશકુમાર પટેલ તેમની 30 વર્ષીય પત્ની પૂજા અને તેમના બે વર્ષના પુત્ર કૃષિવ સાથે રહેતા હતા. તેમના પતિ વિલેશકુમાર લૂમ ફેક્ટરી ચલાવે છે અને તેમનું જીવન સામાન્ય રીતે સુખી અને સ્થિર હતું, પરંતુ એક દુ:ખદ ઘટનાએ તેમનું જીવન હંમેશ માટે બદલી નાખ્યું.

આ ઘટના પતિ વિલેશ કુમાર માટે ખૂબ જ મોટો આઘાત છે. પત્ની અને એકમાત્ર પુત્રના અચાનક જવાથી તે આઘાતમાં ડૂબી ગયો છે. આ ઘટનાને કારણે પરિવારના અન્ય સભ્યો અને મિત્રો પણ શોકમાં છે. સમાજના લોકો અને પડોશીઓએ આ દુઃખમાં વિલેશ કુમારને ટેકો આપવાનો પ્રયાસ કર્યો.


આ ઘટનાએ ગણપતિ દાદાના ઉત્સવના આનંદમય વાતાવરણને પળવારમાં શોકમાં ફેરવી દીધું. આ સમાચાર મળતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને દરેકના ચહેરા પર આઘાત અને દુ:ખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. કોઈએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પૂજા અને ક્રિશિવને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

તેઓ હૉસ્પિટલ પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં બંનેનું મૃત્યુ થઈ ગયું હતું. આ સમય દરમિયાન, એમ્બ્યુલન્સ સ્ટાફે બંનેને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ 13મા માળેથી પડી જવાથી તેમની હાલત ગંભીર હતી. હોસ્પિટલ પહોંચ્યા પછી, ડોકટરોએ તેમની તપાસ કરી, પરંતુ કમનસીબે બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ, વિલેશ કુમાર અને તેમનો પરિવાર ઘેરા આઘાતમાં હતો.

પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે અને ૧૩મા માળેથી પડી જવાનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી. પોલીસે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે અને આસપાસના લોકોના નિવેદનો લેવાનું શરૂ કરી છે. તપાસ કરતી વખતે, પોલીસને ઘટના પહેલા માતા અને પુત્ર ૧૩મા માળે લિફ્ટમાં જતા હોવાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે અને વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. અલથાણ પોલીસના જણાવ્યા અનુસાર, હાલ આ મામલે પરિવારના સભ્યોના નિવેદનો લેવામાં આવશે અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2025 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK