Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > AC બાબતે રૂમમેટ સાથે થયો ઝઘડો; અમેરિકન પોલીસે ભારતીય યુવકની ગોળી મારી કરી હત્યા

AC બાબતે રૂમમેટ સાથે થયો ઝઘડો; અમેરિકન પોલીસે ભારતીય યુવકની ગોળી મારી કરી હત્યા

Published : 19 September, 2025 04:47 PM | Modified : 19 September, 2025 04:50 PM | IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Indian Youth Shot by US Police: તેલંગાણાના મહબૂબનગર જિલ્લાના 29 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર મોહમ્મદ નિઝામુદ્દીનનું અમેરિકામાં પોલીસ ગોળીબારમાં મોત થયું હતું. આ ઘટના 3 સપ્ટેમ્બરના રોજ કેલિફોર્નિયાના સૅન્ટા ક્લેરામાં બની હતી.

મોહમ્મદ નિઝામુદ્દીન અને પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

મોહમ્મદ નિઝામુદ્દીન અને પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


તેલંગાણાના મહબૂબનગર જિલ્લાના 29 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર મોહમ્મદ નિઝામુદ્દીનનું અમેરિકામાં પોલીસ ગોળીબારમાં મોત થયું હતું. આ ઘટના 3 સપ્ટેમ્બરના રોજ કેલિફોર્નિયાના સૅન્ટા ક્લેરામાં બની હતી. આ ઘટના બાદ, યુવકનો પરિવાર કેન્દ્ર સરકાર પાસે મદદ માટે વિનંતી કરી રહ્યો છે. દરમિયાન, ત્યાંની પોલીસે ભારતીય યુવકને ગોળી કેમ મારી તે અંગે ખુલાસો કર્યો છે.


સૅન્ટા ક્લેરા પોલીસ વિભાગ (SCPD) ના જણાવ્યા અનુસાર, તેમને 911 પર એક ફોન આવ્યો હતો જેમાં એક વ્યક્તિ છરી લઈને આવ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. પોલીસ પહોંચ્યા પછી, નિઝામુદ્દીન તેના રૂમમેટને દબાવીને છરી પકડીને બેઠો હતો. પોલીસનું કહેવું છે કે તેણે શરણાગતિ સ્વીકારવાના આદેશોનું પાલન ન કર્યું, જેના કારણે ગોળીબાર શરૂ થયો. ઘાયલ નિઝામુદ્દીનને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. તેનો રૂમમેટ હૉસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે.



મૃતકના પિતા મોહમ્મદ હસનુદ્દીને જણાવ્યું હતું કે તેમને ગુરુવારે સવારે તેમના પુત્રના મૃત્યુની જાણ થઈ હતી. તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર લખીને તેમના પુત્રના મૃતદેહને ભારત લાવવામાં તાત્કાલિક મદદની વિનંતી કરી છે. "મને ખબર નથી કે પોલીસે શા માટે ગોળીબાર કર્યો. કૃપા કરીને દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસને નિર્દેશ આપો," હસનુદ્દીને લખ્યું.


પરિવારના એક સંબંધીએ જણાવ્યું હતું કે ઍર કન્ડીશનરને લઈને વિવાદ શરૂ થયો હતો અને પછી લડાઈમાં ફેરવાઈ ગયો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસે યોગ્ય તપાસ કર્યા વિના ખૂબ જ ઝડપથી ગોળીબાર કર્યો હતો.

મજલિસ બચાવો તહરીક (MBT) ના પ્રવક્તા અમજદ ઉલ્લાહ ખાને પણ પરિવારની અપીલ મીડિયા સાથે શૅર કરી અને આ મામલે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માગ કરી.


સૅન્ટા ક્લેરા પોલીસ વિભાગે જણાવ્યું હતું કે આ કેસ હજી તપાસ હેઠળ છે અને સૅન્ટા ક્લેરા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઑફિસ પોલીસ સાથે સંયુક્ત તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા પછી વધુ અપડેટ્સ શૅર કરવામાં આવશે.

નિઝામુદ્દીનના પિતા મોહમ્મદ હુસનુદ્દીને ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે તેમને જાણ કરવામાં આવી હતી કે તેમના પુત્ર, જે કેલિફોર્નિયામાં અભ્યાસ કરવા ગયો હતો, તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

પોલીસનું કહેવું છે કે નિઝામુદ્દીને તેના રૂમમેટ પર છરીથી હુમલો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે નિઝામુદ્દીન પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો, પરંતુ પોલીસ વિભાગે આ વાતની પુષ્ટિ કરી નથી. આ ઘટના 3 સપ્ટેમ્બરના રોજ બની હતી, પરંતુ પરિવારને તેના મૃત્યુની જાણ બે અઠવાડિયા પછી થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2025 04:50 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK