Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાની આતંકવાદીઓના પરિવારોને પેન્શન આપતા લશ્કર-એ-તય્યબાના કમાન્ડરનું મોત

પાકિસ્તાની આતંકવાદીઓના પરિવારોને પેન્શન આપતા લશ્કર-એ-તય્યબાના કમાન્ડરનું મોત

Published : 10 August, 2026 08:53 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતમાં ઠાર થતા પાકિસ્તાની આતંકવાદીઓના પરિવારોને પેન્શન આપતા લશ્કર-એ-તય્યબાના કમાન્ડર કારી સઈદનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ

લશ્કર-એ-તય્યબાના વરિષ્ઠ કમાન્ડર કારી સઈદ

લશ્કર-એ-તય્યબાના વરિષ્ઠ કમાન્ડર કારી સઈદ


લશ્કર-એ-તય્યબાના વરિષ્ઠ કમાન્ડર કારી સઈદનું પાકિસ્તાનના ઇસ્લામાબાદની કુબાની મસ્જિદમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. મસ્જિદમાં આવતાં પહેલાં કારી સઈદે કોઈ અજ્ઞાત સ્થળે ભોજન કર્યું હોવાનું કહેવાય છે, જ્યાં તે અચાનક પડી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો. ભારતમાં ઠાર થતા આતંકવાદીઓના પરિવારોને પેન્શન પૂરું પાડવાનું અને આતંકવાદીઓની ભરતી કરવાનું કામ કારી સઈદ કરતો હતો. તે હાફિઝ સઈદના નજીકના કમાન્ડરોમાંનો એક હતો. અજ્ઞાત સ્થળે ભોજન કર્યા બાદ તે મસ્જિદના પ્રવેશદ્વાર પાસે પહોંચતાં જ પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. તેના મૃત્યુનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ નથી. કારી સઈદ કથિત રીતે જમ્મુ અને કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ઠાર થતા પાકિસ્તાનના આતંકવાદી જૂથના આતંકવાદીઓના પરિવારો સાથે સંપર્ક જાળવતો હતો અને તેમને સહાય પૂરી પાડવા માટે કામ કરતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 08:53 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK